મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવી રહેલા યુવાનને કાળનો ભેટો: અકસ્માતમાં બે યુવાનોના મોત


SHARE







મોરબીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવી રહેલા યુવાનને કાળનો ભેટો: અકસ્માતમાં બે યુવાનોના મોત

મોરબીના ગીડચ ગામેથી ટેકાના ભાવે મોરબીના યાર્ડમાં મગફળી વેચવા માટે મૂકી ગયા હતા ત્યાર બાદ બીજા દિવસે સવારે બે ભાઈ મોરબી આવી રહ્યા હતા ત્યારે તેનો કૌટુંબિક ભાઈ પણ તેની સાથે મોરબી આવતો હોય ત્રીપલ સવારી બુલેટમાં તે મોરબી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પાણીના ટેન્કરના ચાલકે બુલેટને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ગીડચ ગામ પાસેથી ત્રીપલ સવારી બુલેટ પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બુલેટ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે અકસ્માતના બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલ ભાવેશ લાભુભાઈ ટીડાણી (24) અને મહેશ પ્રેમજીભાઈ કુંવરિયા (27) નામના બે યુવાનોના ગંભીર ઇજા થયેલ હોવાથી મોત નીપજ્યા હતા જેથી તે બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં અનિલભાઈ પ્રેમજીભાઈ કુંવરિયા (24) નામના યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં આ બનાવ સંદર્ભે મૃતક મહેશ કુંવરિયાના પિતા પ્રેમજીભાઈ કુંવરિયા સાથે ફોન ઉપર વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે તેઓની મગફળી વેચવા માટે થઈને સોમવારે સાંજે ત્યાં ટ્રેક્ટર મૂકીને આવ્યા હતા અને ત્યારબાદ મંગળવારે સવારે 10:00 વાગ્યાના અરસામાં તેમના બે દીકરા મહેશભાઈ અને અનિલભાઈ પોતાના ગામથી માર્કેટયાર્ડ જતા હતા ત્યારે તેમના કૌટુંબિક પૌત્રનો દીકરો ભાવેશ ટીડાણી પણ તેની સાથે મોરબી જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો અને અકસ્માતના આ બનાવમાં ભાવેશ તથા તેમના દીકરા મહેશનું મોત નીપજ્યું છે જ્યારે અનિલભાઈને ઇજા થ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.






Latest News