મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડથી શનાળા રોડ જવાના માર્ગની બંને બાજુએ કરવામાં આવેલ ગેરકાયદે દુકાનો સહિતના દબાણોનો સફાયો


SHARE













મોરબીના પંચાસર રોડથી શનાળા રોડ જવાના માર્ગની બંને બાજુએ કરવામાં આવેલ ગેરકાયદે દુકાનો સહિતના દબાણોનો સફાયો

મોરબીના પંચાસર રોડ ઉપરથી સીધા સનાળા રોડ ઉપર નીકળી શકાય તેવો નાની કેનાલ રોડ છે ત્યાં રોડની બંને સાઈડે કરવામાં આવેલા નાના-મોટા કાચા પાકા દબાણો તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે

મોરબી મહાપાલિકા દ્વારા દર બુધવારે કોઈને કોઈ વિસ્તારમાં રોડ સાઈડના દબાણો તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાસેથી સીધા સનાળા રોડ ઉપર જે નાની કેનાલના રસ્તા ઉપર થી પસાર થઈ શકાય છે તે રસ્તા ઉપર કરવામાં આવેલા નાના-મોટા કાચા પાકા દબાણો તોડવું પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બે જેસીબીની મદદથી શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે બનાવવામાં આવેલ ત્રણ દુકાનો તથા સીડીનો વિભાગ, અન્ય બે મકાનોની કમ્પાઉન્ડ વોલ સહિતનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે સહિતના દબાણોને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે રોડની 18 મીટરના વિસ્તારમાં આવતા ગેરકાયદેસર દબાણો તોડવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં શોપિંગ સેન્ટરમાં બનાવેલ ત્રણ દુકાન તથા સીડીનો ભાગ અને બે મકાનની કમ્પાઉન્ડ વોલ સહિતનું જે ગેરકાયદે બાંધકામ છે તે તોડવા માટેની કામગીરી હાથ ધરાય છે અને પંચાસર રોડ ઉપરથી સીધા સનાળા રોડ તરફ જઈ શકાય તે માટે જે નવો રસ્તો 2.2 કિલો મીટરનો બની રહ્યો છે તે રસ્તાની સાઈડના દબાણો તોડવા માટેની આજે કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીએ છે કે આ રસ્તો કાર્યરત થઈ જાય ત્યારબાદ પંચાસર રોડથી સનાળા રોડ તરફ જવા આવવા માટે સોસાયટી અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોને બાયપાસ રોડ ઉપર જવાની જરૂર નહીં પડે ટેવુબકહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News