મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સોની બજાર સંઘ દ્વારા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં સોની બજાર સંઘ દ્વારા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં શ્રી સોની બજાર સંઘમાં મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રાનું આજે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. અને મહાસતીજીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા

મોરબી શ્રી સોની બજાર સંઘ દ્વારા મોરબીમાં રહેતા વિધિબેન અશ્વિનભાઈ મહેતા કે જેઓ લીંબડી અજરામર સંપ્રદાયમાં આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ લીંબડી ખાતે દીક્ષિત થવાના છે. તેમના સંયમની અનુમોદનમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સમસ્ત જન સંઘોના ભાવિકો જોડાયા હતા મોરબીમાં આજે નેહરૂગેટ ચોકથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું અને ગ્રીનચોક થઈને સોની બજાર ઉપાશ્રય ખાતે વાંતે ગાજતે ધર્મનાથ મિત્ર મંડળના બેન્ડના સથવારે શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ ધર્મસભામાં પૂજ્ય મહાસતીજીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા. અને મોરબીના વિવિધ સંઘો અને મંડળોએ મુમુક્ષુ વિધિબેનનું સન્માન કર્યું હતું અને મુમુક્ષુ વિધિબેનએ પોતાના ભાવો વ્યક્ત કરતા કહ્યું હતું કે “આ પાપમય સંસાર છોડી હું શ્રમણ ક્યારે બનવું ??” કાર્યક્રમના અંતમાં સોની બજાર તરફથી આવેલા તમામ શ્રાવક-શ્રાવીકો માટે નવકારશી તેમજ સ્થાનકવાસી જૈન યુવક મંડળ તરફથી પ્રભાવનાનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News