મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE















મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના પીપળી ગામ નજીક વર્ષ ૨૦૧૮ માં ૫ કાચબાનો શિકાર કરવામાં આવેલ હતો. જેનો ગુનો નોંધાયેલ હતો અને તે કેસ મોરબીની એડી. ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં બંને પક્ષની દલીલને ધ્યાને લઈને કોર્ટે બચાવ પક્ષના એડ્વોકેટની દલીલને ધ્યાને લઈને બંને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે, ગત તા. ૨૨/૦૬/૨૦૧૮ ના રોજ પીપળી ગામ રેવન્યુ ખરાબા વિસ્તારમાં ૫ કાચબાનો શીકાર કરી તેનુ મોત નીપજાવી કાચબાના માસના ટુંકડા બનાવ સ્થળે રાખી ભાગી ગયા હતા અને જે અંગે રેન્જ ફોરેસ્ટ ઓફીસ મોરબીમાં ફરીયાદ કરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન બે આરોપીને પકડવામાં આવ્યા હતા. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદ પક્ષ કેસની હકીકત મુજબ પંચોની હાજરીમાં આરોપીની અટક થયેલ હોય તેમજ પંચોની હાજરીમા કાચબાના મૃતદેહની દફન વીધી થયેલ છે તેવી હકકીત શંકારહીત પુરવાર કરી શકેલ નથી. અને પીપળી ગામેથી પશુનુ માંસ તથા અવશેષ મળી આવેલ છે તેવુ જણાઈ આવે છે પરંતુ તે પશુ કાચબો હોય અને તેનો શીકાર આરોપીએ કરેલ હોય તે હકીકત શંકારહિત પુરવાર થતી નથી. આમ બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયા દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરી હતી જે દલીલના આધારે ઉપરોક્ત કેસમા કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં બંને આરોપીઓ તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયા રોકાયેલ હતા.






Latest News