મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE













મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં નવા બનતા બાંધકામમાં ત્રીજા માળ ઉપર ઈલેક્ટ્રીકનું કામ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ઝૂલા ઉપર બેસીને કામ કરતા યુવાનના ઝૂલાનો રસો તૂટ્યો હતો જેથી કરીને યુવાન નીચે પટકાતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં સૂર્ય ડેવલોપર્સના નવા બનતા લક્ષ્મી કાંતા એપાર્ટમેન્ટમાં કામ ચાલી રહ્યું છે ત્યારે ત્રીજા માળ ઉપર ઝૂલામાં બેસીને ઈલેક્ટ્રીકનું કામ ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી જાતે.મુસ્લીમ (ઉ.૧૯) રહે. પંચાસર રોડ ન્યુજનક સોસાયટી મોરબી વાળો કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે ઝૂલાનો રસો તૂટ્યો હતો જેથી કરીને ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મૂળ એમપીના દેવાસ જિલ્લાના રહેવાસી અને હાલમાં સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિકમાં રહેતા અને મજૂરીકામ કરતાં રાધેશ્યામભાઈ મુળચંદભાઈ (ઉંમર ૪૩) પોતાની ઓરડીમાં ચક્કર આવતા પડી ગયા હતા અને તેઓનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News