મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE







મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં નવા બનતા બાંધકામમાં ત્રીજા માળ ઉપર ઈલેક્ટ્રીકનું કામ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ઝૂલા ઉપર બેસીને કામ કરતા યુવાનના ઝૂલાનો રસો તૂટ્યો હતો જેથી કરીને યુવાન નીચે પટકાતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં સૂર્ય ડેવલોપર્સના નવા બનતા લક્ષ્મી કાંતા એપાર્ટમેન્ટમાં કામ ચાલી રહ્યું છે ત્યારે ત્રીજા માળ ઉપર ઝૂલામાં બેસીને ઈલેક્ટ્રીકનું કામ ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી જાતે.મુસ્લીમ (ઉ.૧૯) રહે. પંચાસર રોડ ન્યુજનક સોસાયટી મોરબી વાળો કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે ઝૂલાનો રસો તૂટ્યો હતો જેથી કરીને ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મૂળ એમપીના દેવાસ જિલ્લાના રહેવાસી અને હાલમાં સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિકમાં રહેતા અને મજૂરીકામ કરતાં રાધેશ્યામભાઈ મુળચંદભાઈ (ઉંમર ૪૩) પોતાની ઓરડીમાં ચક્કર આવતા પડી ગયા હતા અને તેઓનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News