તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE











મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં નવા બનતા બાંધકામમાં ત્રીજા માળ ઉપર ઈલેક્ટ્રીકનું કામ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ઝૂલા ઉપર બેસીને કામ કરતા યુવાનના ઝૂલાનો રસો તૂટ્યો હતો જેથી કરીને યુવાન નીચે પટકાતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં સૂર્ય ડેવલોપર્સના નવા બનતા લક્ષ્મી કાંતા એપાર્ટમેન્ટમાં કામ ચાલી રહ્યું છે ત્યારે ત્રીજા માળ ઉપર ઝૂલામાં બેસીને ઈલેક્ટ્રીકનું કામ ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી જાતે.મુસ્લીમ (ઉ.૧૯) રહે. પંચાસર રોડ ન્યુજનક સોસાયટી મોરબી વાળો કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે ઝૂલાનો રસો તૂટ્યો હતો જેથી કરીને ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મૂળ એમપીના દેવાસ જિલ્લાના રહેવાસી અને હાલમાં સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિકમાં રહેતા અને મજૂરીકામ કરતાં રાધેશ્યામભાઈ મુળચંદભાઈ (ઉંમર ૪૩) પોતાની ઓરડીમાં ચક્કર આવતા પડી ગયા હતા અને તેઓનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News