મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત


SHARE











મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત

મોરબીના સોખડા ગામ નજીક કપાસનું વાવેતર કરેલા ખેતરમાંથી યુવાનનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક યુવાન માનસિક બીમાર હોય ઘરે કોઈને કશું કહ્યા વગર છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો ત્યાર બાદ તેની કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સોખડા ગામે રહેતો સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (36) નામનો યુવાન માનસિક બીમાર હોય અવારનવાર પોતાના ઘરેથી નીકળી જતો હતો તેવામાં છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યાર બાદ સોખડા અને બહાદુરગઢ રોડ ઉપર આવેલ રમેશભાઈ બાલાસરાની વાડીમાં કપાસનું વાવેતર કરેલું છે ત્યાં ખેતરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં સંજયભાઈ સુરેલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રમેશભાઈ બાલાસરા રહે. કિશનગઢ સોખડા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળન કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું બીમારી સબબ મોત

વાંકાનેરના કુંભારપરામાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચરભાઇ ગોવિંદભાઈ સોલંકી (67) ને બીપીની બીમારી હોય બીમારી સબ તેઓનું ઘરે મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News