મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સીએ માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો


SHARE





મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સીએ માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો

મોરબીમાં બીકોમ, બીબીએ અને એમકોમ જેવા કોમર્સ પ્રવાહના કૉર્સમાં સતત ઉચ્ચ પરિણામો આપતી અને સાથે સાથે કોમર્સ ફેકલ્ટીમાં મુખ્ય કહી શકાય તેવા એકાઉન્ટન્સી અને સ્ટેટેસ્ટીક જેવા વિષયોમા યુનિવર્સિટી લેવલે 100 માથી 100 ગુણ મેળવીને હર‌હમેશા અવ્વલ રહેતી મોરબી જિલ્લાની પી.જી.પટેલ કોલેજમાં સીએ માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો હતો.

હવે બીકોમ અને બીબીએ સીએ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમનુ‌ શિક્ષણ પણ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે ત્યારે કોલેજમાં જે.કે.શાહ ક્લાસીસ દ્વારા સીએ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દીલક્ષી અને માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ગુજરાત હેડ પ્રો. વિપુલ ઘેડિયા મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા અને તેઓએ સીએ વિશેની જરૂરી માહિતી અને જરૂરી બાબતોની વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં રજૂઆત કરી હતી આ સેમિનારમાં સીએ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે સંસ્થાની રાજકોટ ખાતે આવેલ બ્રાન્ચમાંથી મૌલિકભાઈ ટોળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે મોરબીમાં આ સંસ્થાના કલાસિસ શરૂ થઈ રહ્યા છે ત્યારે ધો. 12 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરત જ સીએ ફાઉન્ડેશનનો એક ફ્રી વર્કશોપ રાખવાનું આયોજન કરવામાં આવશે જે અંગેની માહિતી હવે પછીથી જાહેર કરવામાં આવશે.




Latest News