મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સીએ માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો
મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ
SHARE
મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ
મોરબી મહાપાલિકામાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 સંચાલકો હાજર રહ્યા હતા અને તેઓએ અબોલજીવને રાખવા માટેની તૈયારી દર્શાવી હતી.
મોરબી મહાપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મિટિંગમાં નાયબ કમિશનર સંજયકુમાર સોની, પશુપાલન અધિક્ષક, હળવદ વેટેનરી ઓફિસર, ટંકારા વેટેનરી ઓફિસર, પ્રાણી રંજાડ અંકુશ શાખાના અધિકારી હાજર રહયા હતા. આ મિટિંગમાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના 16 સંચાલકો હાજર રહ્યા હતા. અને ગૌશાળાના સંચાલકોઓએ અંદાજીત 55 પશુ રાખવા માટેની બાહેંધરી આપી હતી, અને માર્ચ 2025 થી આજદિન સુધી કુલ 2452 પશુને મોરબી મહાપાલિકાની ટીમે પકડેલ છે. આ પશુને ટ્રેગિંગ અને આરએફઆઈડી લગાવીને મોરબી જિલ્લાના હળવદ, ટંકારા, મોરબી, વાકાનેર તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળમાં કાયમી સાચવણી માટે મૂકવામાં આવ્યા છે, મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્રારા નિયમિત રીતે પશુ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.









