મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરીએ યોજાશે
મોરબીના માધાપર વિસ્તારમાંથી મળી આવેલ મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન
SHARE
મોરબીના માધાપર વિસ્તારમાંથી મળી આવેલ મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન
મોરબીમાં બે દિવસ પહેલા જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમમાં કોલ કરવામાં આવેલ હતો અને કહ્યું હતુ કે, માધાપર પાસે રસ્તામાં એક મહિલા મળી આવેલ છે અને મહિલા સરખું સરનામું પણ આપતા નથી અને કાંઈ પણ બોલતા નથી અને મહિલા ગભરાયેલી હાલતમાં છે જેથી કરીને અભયમની ટીમ ત્યાં દોડી આવી હતી અને ત્યાર બાદ મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.
મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર માધાપર વિસ્તારમાં મહિલા પાસે પહોચ્યા હતા અને મહિલાને લોકોએ સુરક્ષિત રીતે બેસાડેલા હતી જેથી તેને અભયમની ટીમે સાંત્વના આપી હતી અને ત્યાર બાદ કાઉન્સિલીગ કર્યું હતું જેમાં મહિલાએ જણાવ્યુ હતું કે, હાલ હું ધંધુકાથી મારા બહેનના ઘરેથી આવી છું મારા બે લગ્ન થયાં છે અને પહેલા લગ્ન થયાં હતાં ત્યાંથી મારા છુટાછેડા થઇ ગયા છે અને બીજા મારા લવ મેરેજ થયાં હતાં ત્યાં મારા પતિ છેલ્લા એક મહિનાથી મૃત્યુ પામ્યા છે મારા માતા પિતા કે ભાઈ કોઈ નથી અને મારે ત્રણ બહેનો છે. જ્યારથી મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારથી હું મારી બધી બહેનોનાં ઘરે થોડા થોડા દિવસો રહું છું હાલ મારી બહેનના ઘરે ધંધુકા રહેતી હતી અને ધંધુકાથી મારા બહેનના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર હું બસમાં બેસીને મોરબી આવી ગયી છું મારી બીજી બહેન વાંકાનેર રહેતી હોય માટે મારે એમના ઘરે જાઉં છે પરંતુ અંધારું થઈ ગયું હોય તેથી મને રસ્તો મળતો ન હોય માટે રસ્તામાં એકલી બેઠી છું. જેથી કરીને અભયમની ટીમ દ્વારા મહિલાને આશ્વાશન આપીને રાત્રીના સમયે ઘરેથી નીકળી જવું નહીં તેના માટે સમજાવેલ છે. અને તેની બહેનનું સરનામું મેળવીને તેની પાસેથી આધાર પુરાવા મેળવીને મહિલાને તેની બહેન અને બનેવી સાથે મોકલી આપવામાં આવેલ છે.









