મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નનું આયોજન: ૨૪ નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાશે


SHARE







મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નનું આયોજન: ૨૪ નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાશે

સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના હેતુ સાથે મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આગામી તા ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ને મંગળવારના રોજ ૩૯ માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૪ નવદંપતી લગ્નગ્રંથિએ જોડશે.

આ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન એસ્ટ્રોન સિરામિકની પાછળ રિવેરા સીરામિકની બાજુમાં રાખવામા આવેલ છે. અને સવારે ૫:૩૦ કલાકે ગણેશ સ્થાપના સાથે મંગલ શરૂઆત થશે, સવારે ૮:૧૫ કલાકે સામૈયા અને જાનનું સ્વાગત કરવામાં આવશે, સવારે ૯:૩૦ કલાકે સમારંભમાં પધારેલા મહેમાનો અને સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે, સવારે ૧૦:૧૫ કલાકે હસ્ત મેળાપની મુખ્ય વિધિ થશે, બપોરે ૧:૧૫ કલાકે નવદંપતીઓને કરિયાવર ભેટ આપી વિદાય આપવામાં આવશે. આ તકે નવદંપતીને આશીર્વાદ આપવા મેહુલદાસ બાપુ અને યોગીશ્રી જ્યોતનાથજી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાથાભાઈ સવાડિયા અને સહ-અધ્યક્ષ તરીકે માવજીભાઈ વારેવડીયા ઉપસ્થિત રહેશે.

વરિયા પ્રજાપતિ જ્ઞાતિના ઉદાર દાતાઓ તરફથી નવદંપતીઓને નવો ઘર-સંસાર વસાવવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે. જેમાં સોના-ચાંદીના દાગીના, સ્ટીલના વાસણો, કબાટ, પલંગ, ગાદલાં, મિક્સર, ઈસ્ત્રી, ગેસ સ્ટવ અને રસોડાની નાની-મોટી ૧૨૦થી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે. લગ્નની સાથે જ્ઞાતિમાં શિક્ષણ અને વાંચનનો વ્યાપ વધે તે માટે આ વખતે ખાસ પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરીયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ મોરબીના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ વારનેશીયા અને સમગ્ર સમિતિ જહેમત ઉઠાવી રહી છે.






Latest News