મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા
Morbi Today
મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ
SHARE
મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ
મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર હનુમાનજીના મંદિર પાસે આવેલ પાણીના નિકાલ માટેનું નાળુ બંધ થયેલ છે.જેથી ત્યાંથી પાણીનો નિકાલ થવાનું બંધ થયેલ છે.આથી નાલા પાસે અટકેલ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળે તેમ હોવાથી ખેતરોમાં નુકસાન થવાની શક્યતા છે.
માટે આ નાલાની યોગ્ય સફાઈ કરાવી પાણીનો નિકાલ કરવો જરૂરી બન્યો છે.તેમજ આમરણ બાજુ જવાના રસ્તે આવતું પ્રથમ પુલિયામાં કાંપ ભરાઈ જવાથી ત્યાં પણ ગામના પાણીનો નિકાલ બંધ થયેલ છે.આથી આ નાલાની સફાઈ કરાવવામાં આવે તેવી ખારચીયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઇ લખતરિયા તેમજ ઉપસરપંચ જે.આર.જાડેજાએ નેશનલ હાઇવે ઓથોરીટીના લગત અધિકારીને લેખીમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.









