​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા


SHARE













મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા

મોરબી મહાનગર પાલિકામા પંચાસર રોડ આવેલ છે.આ રોડને સિમેન્ટ કોન્ક્રેટ રોડથી મઢવાનું કામ છ મહિના પહેલા કરવામાં આવેલ હતું.હાલ આ સિમેન્ટ કોન્ક્રેટ રોડમા ગાબડાઓ પડી જવા પામેલ છે.! તો શું ? સિમેન્ટ કોન્ક્રેટ રોડ એટલો સમય જ ટકે ? આવા રોડની લાઈફ કેટલી નક્કી કરેલ હોય છે ?  જેવા પ્રશ્નો સાથે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને પગલાં લેવા માંગ કરી છે.

આ કામ સરકારી પૈસા કે જે લોકોના ટેક્ષ દ્વારા સરકાર પાસે આવતા હોય છે.જે પૈસાથી આવા કામો થતા હોય છે.જો સરકારી પૈસા દ્વારા થતા કામો આવા નબળા થાય તો તેના માટે જવાબદાર કોણ ? આ કામ મંજુર કરનાર અધિકારી, કામ કરાવનાર અધિકારી, કોન્ટ્રાકટર વગેરેની કોઈ જવાબદારી બને છે કે નહિ ?  જો આવું જ ચાલશે તો મોરબીમા બધા જ રોડ દર વર્ષે નવા કરવા પડશે અને જો સરકારના પૈસે  થયેલા રોડ જો આવા બનતા હોય તો આના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો સાથે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી.બાવરવા (કે.ડી.બાવરવા) એ વધુમાં જણાવ્યુ છેકે મુખ્યમંત્રી દ્વારા આવા કામની યોગ્ય તપાસ કરાવીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.






Latest News