મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા


SHARE











વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા

વાંકાનેર તાલુકાના જોધપર ખારી પાસે સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત કુલ મળીને છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું  છે અને અન્ય પાંચ ઇજાગ્રસ્તોને હાલમાં રાજકોટ ખાતે સારવાર કરવામાં આવે છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અકસ્માતનાં બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં જોધપર ખારી ગામ પાસેથી સીએનજી રીક્ષા અને ડમ્ફર પસાર થતા હતા ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઘૂસળી દીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે છ વ્યક્તિ પૈકીના રિક્ષાચાલકને વધુ ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું છે

હાલમાં અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભાનુભાઇ કરમશીભાઈ ભાલીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. ભલગામ વાળા પોતાની સીએનજી રીક્ષામાં રાજાવડલા ગામના રહેવાસી હુસેનભાઇ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૬૦), અબ્દુલભાઈ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૪૮), અફ્ઝ્લભાઇ અબદુલભાઇ વડાવીયા (ઉંમર ૨૪), ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી (ઉંમર ૫૪) અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (ઉંમર ૪૦) ને બેસાડીને જોધપર ખારી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રીક્ષા આગળ જતાં ડમ્પરમાં પાછળના ભાગે ઘૂસી ગઇ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રિક્ષાચાલક ભાનુભાઈનું મૃત્યુ નિપજયું છે અને અન્ય પાંચ મુસાફરો જે રિક્ષામાં બેઠા હતા તેઓને ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે






Latest News