મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા


SHARE







વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા

વાંકાનેર તાલુકાના જોધપર ખારી પાસે સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત કુલ મળીને છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું  છે અને અન્ય પાંચ ઇજાગ્રસ્તોને હાલમાં રાજકોટ ખાતે સારવાર કરવામાં આવે છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અકસ્માતનાં બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં જોધપર ખારી ગામ પાસેથી સીએનજી રીક્ષા અને ડમ્ફર પસાર થતા હતા ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઘૂસળી દીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે છ વ્યક્તિ પૈકીના રિક્ષાચાલકને વધુ ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું છે

હાલમાં અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભાનુભાઇ કરમશીભાઈ ભાલીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. ભલગામ વાળા પોતાની સીએનજી રીક્ષામાં રાજાવડલા ગામના રહેવાસી હુસેનભાઇ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૬૦), અબ્દુલભાઈ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૪૮), અફ્ઝ્લભાઇ અબદુલભાઇ વડાવીયા (ઉંમર ૨૪), ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી (ઉંમર ૫૪) અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (ઉંમર ૪૦) ને બેસાડીને જોધપર ખારી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રીક્ષા આગળ જતાં ડમ્પરમાં પાછળના ભાગે ઘૂસી ગઇ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રિક્ષાચાલક ભાનુભાઈનું મૃત્યુ નિપજયું છે અને અન્ય પાંચ મુસાફરો જે રિક્ષામાં બેઠા હતા તેઓને ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે






Latest News