મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન

રાષ્ટ્રગીત વંદે માતરમ્ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વંદે માતરમ્ ફેઝ-૨ અન્વયેવ  ૨૩ માર્ચથી ૩૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન વંદે માતરમ્ @ ૧૫૦ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે યોજાનારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમોના સુચારૂ સંચાલન માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન તથા ૨૫ માર્ચના યોજાનાર પદયાત્રા રેલી માટે રૂટ મેનેજમેન્ટ, પીવાના પાણી તથા આરોગ્ય ટીમ સહિતની સુવિધાઓ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તા. ૨૩ માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તા. ૨૪ માર્ચે જિલ્લાની શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ્નું સામૂહિક ગાન કરવામાં આવશે. અને વિશેષ રૂપે, તા. ૨૫ માર્ચના રોજ મોરબી શહેરમાં મણીમંદિર થી મીરબી મહાનગર પાલિકા કચેરી સુધી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, તા. ૨૬ માર્ચના રોજ શાળા-કોલેજોમાં ચિત્ર, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમો સહભાગી બનવા જિલ્લાવાસીઓને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News