વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી પાસે સર્જાયેલા અકસ્માતમાં સીએનજી રીક્ષાના ચાલકની સામે નોંધાયો ગુનો


SHARE













વાંકાનેરના જોધપર ખારી પાસે સર્જાયેલા અકસ્માતમાં સીએનજી રીક્ષાના ચાલકની સામે નોંધાયો ગુનો

વાંકાનેર તાલુકાના જોધપર ખારી પાસે સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત કુલ મળીને છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું  હતું અને અન્ય પાંચ ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા  અને હાલમાં ઇજાગ્રસ્તો પૈકીનાં એકે મૃતક રિક્ષા ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેરના જોધપર ખારી ગામ પાસેથી સીએનજી રીક્ષા અને ડમ્ર પસાર થતા હતા ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઘૂસળી દીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને તેમાં રિક્ષાચાલકને વધુ ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું આ બનાવમાં હાલમાં રાજાવડલા ગામે રહેતા અફજલભાઇ અબ્દુલભાઇ વડાવીયા જાતે મોમીન (ઉ.૨૩) એ મૃતક રિક્ષા ચાલક ભાનુભાઇ કરમશીભાઈ ભાલીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. ભલગામ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેભાનુભાઇ કરમશીભાઈ ભાલીયાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩ બિયું ૮૭૫૮ માં ફરિયાદી તેમજ હુસેનભાઇ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૬૦)અબ્દુલભાઈ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૪૮)ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી (ઉંમર ૫૪) અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (ઉંમર ૪૦) જોધપર ખારી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષા આગળ જતાં ડમ્પરમાં પાછળના ભાગે ઘૂસી ગઇ હતી જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાચાલકનું મૃત્યુ નિપજયું છે અને અન્ય પાંચ મુસાફરોને ઇજા થયેલ છે હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે 






Latest News