મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો
મોરબીમાં રામજી મંદિર ભાંડિયાની વાડી સ્ક્ય મોલ પાછળ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં એક દિવસીય ફ્રી નિદાન કરી આપીને ત્રી-દિવસીય દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ શ્રીમતી અરૂણાબેન હરેશભાઈ શાહ હસ્તે રીખવભાઈ શાહ મુંબઈ (બોરીવલી ચિકુવાડી) ના સહયોગથી નિદાન કેમ્પમાં બ્લડ સુગર ટેસ્ટ કરાયા હતા. અને આ કેમ્પમાં ડો.હસ્તીબેન મેહતાએ ૯૦ જેટલા દર્દીને તપાસીને સારવાર આપી હતી. તેમજ ડૉ.હાર્દિક જેશ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ) તેમજ સહદેવસિંહ ઝાલા (ઓમ લેબ.) ના આર્થિક અનુદાનથી ૫૬ દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. તેમજ ૬૦ થી વધુ દર્દીઓનું બીપી માપીને વજન કરીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં રશ્મિ દેસાઈ, કેતન મેહતા, જયસુખભાઇ પટેલ, કૌશીકા રાવલ, ઋચિતા પંડ્યા, વર્ષાબેન મોરીએ પણ સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કંઝરીયા લખમણભાઇ, કોઠારીભાઈ, દર્શનબેન, હરેશભાઈએ જહમત ઉઠાવી હતી.









