હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો


SHARE











મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો

મોરબીમા નિર્માણ પામનાર મહારાણી વિજય કુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવન માટે મોરબીના રાજવી પરિવાર દ્વારા બે એકર જમીન આપવામાં આવેલ છે જેથી કરીને સમાજ ભવનના ટ્રસ્ટીઓ દંપતિમાં મોરબીના ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને ત્યાં મોરબીના મહારાજા કુમારી મીરાબાપા, માયાબાપા અને ઉમાબાપા નું સન્માન કરીને તેઓનો તેમજ મોરબીના રાજવી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મોરબીમાં રાજપૂત સમાજ ભવનનું નિર્માણ કરવા માટેનું કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યું હતું દરમિયાન મોરબીના રાજવી પરિવાર દ્વારા મોરબીમાં રાજપૂત સમાજનું ભવન બને તે માટે થઈને બે એકર જેટલી જમીન સમાજને આપવામાં આવેલ છે જેથી કરીને મોરબીમા નિર્માણ પામનાર મહારાણી વિજય કુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવન-મોરબી ના ટ્રસ્ટીઓ દશરથસિંહ યુ. ઝાલા, મહાવીરસિંહ એન. ઝાલા, આર.એન. ઝાલા, મહેન્દ્રસિંહ ડી. ઝાલા, રઘુવીરસિંહ કે. ઝાલા, નરવીરસિંહ વી. ઝાલા, કિશોરસિંહ વી. ઝાલા અને છત્રસિંહ જે. જાડેજા દંપતીમાં મોરબીમાં આવેલ ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા મોરબીના મહારાજા કુમારી મીરાબાપા, માયાબાપા અને ઉમાબાપા નું સન્માન કરીને સમાજ ભવન બનાવવા માટે થઈને મોરબીના રાજવી પરિવાર દ્વારા જે જમીન આપવામાં આવેલ છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીએ છે કે, મોરબીના રાજવી પરિવાર દ્વારા મોરબીમાં રાજપૂત સમાજ ભવન બને તે માટે થઈને જે જમીનની ફાળવણી કરવામાં આવી છે તે જમીનની આજની તારીખે બજાર કિંમત મુજબ 17 કરોડ જેટલી રકમ થાય છે અને આટલી મોટી કિંમતી જમીન સમાજ ભવન માટે ફાળવવા બદલ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ તેઓના ધર્મપત્ની સાથે મોરબીના ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને મોરબીના મહારાજા કુમારીઓનો આભાર વ્યક્ત કરીને સન્માન કર્યું હતું આ તકે ટ્રસ્ટીઓ ઉપરાંત જયુભા જાડેજા, મનહરસિંહ જાડેજા, વિજયભાઈ શાહ અને લક્ષ્મણભાઈ બારોટ સહિતના પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News