મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો


SHARE











મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો

મોરબીમા નિર્માણ પામનાર મહારાણી વિજય કુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવન માટે મોરબીના રાજવી પરિવાર દ્વારા બે એકર જમીન આપવામાં આવેલ છે જેથી કરીને સમાજ ભવનના ટ્રસ્ટીઓ દંપતિમાં મોરબીના ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને ત્યાં મોરબીના મહારાજા કુમારી મીરાબાપા, માયાબાપા અને ઉમાબાપા નું સન્માન કરીને તેઓનો તેમજ મોરબીના રાજવી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મોરબીમાં રાજપૂત સમાજ ભવનનું નિર્માણ કરવા માટેનું કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યું હતું દરમિયાન મોરબીના રાજવી પરિવાર દ્વારા મોરબીમાં રાજપૂત સમાજનું ભવન બને તે માટે થઈને બે એકર જેટલી જમીન સમાજને આપવામાં આવેલ છે જેથી કરીને મોરબીમા નિર્માણ પામનાર મહારાણી વિજય કુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવન-મોરબી ના ટ્રસ્ટીઓ દશરથસિંહ યુ. ઝાલા, મહાવીરસિંહ એન. ઝાલા, આર.એન. ઝાલા, મહેન્દ્રસિંહ ડી. ઝાલા, રઘુવીરસિંહ કે. ઝાલા, નરવીરસિંહ વી. ઝાલા, કિશોરસિંહ વી. ઝાલા અને છત્રસિંહ જે. જાડેજા દંપતીમાં મોરબીમાં આવેલ ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા મોરબીના મહારાજા કુમારી મીરાબાપા, માયાબાપા અને ઉમાબાપા નું સન્માન કરીને સમાજ ભવન બનાવવા માટે થઈને મોરબીના રાજવી પરિવાર દ્વારા જે જમીન આપવામાં આવેલ છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીએ છે કે, મોરબીના રાજવી પરિવાર દ્વારા મોરબીમાં રાજપૂત સમાજ ભવન બને તે માટે થઈને જે જમીનની ફાળવણી કરવામાં આવી છે તે જમીનની આજની તારીખે બજાર કિંમત મુજબ 17 કરોડ જેટલી રકમ થાય છે અને આટલી મોટી કિંમતી જમીન સમાજ ભવન માટે ફાળવવા બદલ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ તેઓના ધર્મપત્ની સાથે મોરબીના ન્યુ પેલેસ ખાતે હાજર રહ્યા હતા અને મોરબીના મહારાજા કુમારીઓનો આભાર વ્યક્ત કરીને સન્માન કર્યું હતું આ તકે ટ્રસ્ટીઓ ઉપરાંત જયુભા જાડેજા, મનહરસિંહ જાડેજા, વિજયભાઈ શાહ અને લક્ષ્મણભાઈ બારોટ સહિતના પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News