હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનારા ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે ત્રીપલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં એક આધેડનું મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં ત્રાજપરની પાછળના ભાગમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઈ ખોડાભાઈ ધંધાણીયા (23)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટી 1750 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી ફરિયાદીના પિતા ખોડાભાઈ કાનજીભાઈ ધંધાણીયા (52) તથા મનોજભાઈ રાંદલપરા અને સંજયભાઈ દેગામા ત્રણેય વ્યક્તિઓ બાઈક નંબર જીજે 13 ટીપી 6013 ઉપર જઈ રહ્યા હતા દરમ્યાન મનોજભાઈ બાઇક ચલાવતા હતા અને ફરિયાદીના પિતા અને સંજયભાઈ પાછળના ભાગે બેઠેલા હતા દરમ્યાન ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને મોઢા તથા શરીરે ગંભીર ઈજા થઇ હતી જેથી તેનું મોત નીપજયું છે. જ્યારે મનોજભાઈને પગમાં ગંભી ઇજા થઈ હતી અને સંજયભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવેલ છે હાલમાં મૃત્યુ પામેલા આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News