મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં અગરીયાઓને સરકારની સોલર પંપ યોજનાનો લાભ અપાવવા રજૂઆત
મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે
SHARE
મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે
મોરબી શહેરમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા સમયાંતરે ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે કાલે તા. ૨૯ ના રોજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં પૂંઠાના બનાવેલા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેથી કરીને ચકલી બચાવવા માટે દરેક જીવદયા પ્રેમી મિત્રોને તેનો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે અને કાલે સવારે ૧૦ વાગ્યાથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવશે અને કોરોનાને ધ્યાનમાં ચકલી ઘર લેવા માટે આવનારા દરેક લોકોને માસ્ક પહેરવું ફરજીયાત છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનોએ જણાવ્યુ છે.