મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ


SHARE













મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ

મોરબીમાં ભાજપની સાથે છેલ્લા 32 વર્ષથી જોડાયેલ આગેવાન દ્વારા આજે તેના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે અને પોતાના રાજીનામમાં લખ્યું છે કે, “ભાજપને સાચા, સારા, નિષ્ઠાવાન, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાવાન કાર્યકરોની જરૂરીયાત ન હોય તેવું મને લાગે છે. માટે રાજીનામું આપ્યું છું.”

મોરબી નગર પાલીકાના વોર્ડ નં-૧૧ ના માજી કાઉન્સીલર હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયાએ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખને લેખિતમાં ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધેલ છે જેમાં જણાવ્યુ છે કે, “હું છેલ્લા 32 વર્ષથી ભાજપની સાથે જોડાયેલ છું. અને અમારા સતવારા સમાજને ભાજપ સાથે જોડવામાં અમુલ્ય યોગદાન આપેલ છે. અને હાલ મારી ઉમર 59 વર્ષ છે અને ખરેખર હવે ભાજપને સાચા, સારા, નિષ્ઠાવાન, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાવાન કાર્યકરોની જરૂરીયાત ન હોય તેવું મને લાગે છે. કારણ કે આયાતી તેમજ બેથી પાંચ વર્ષથી પાર્ટીમાં આવેલ લોકોને જો ટીકીટ અને સારા હોદા મળતા હોય અને મારા જેવા સીનીયર કાર્યકર્તાને જો ટીકીટ ન મળતી હોય તો મને એવું લાગે છે કે વિશ્વની મહાન પાર્ટીને મારા જેવા સનિષ્ઠ કાર્યકર્તાની જરૂરીયાત નથી એટલે મારા ભાજપના સભ્ય નં. 7009548535 છે અને હું મારા સભ્ય પદ ઉપરથી મારુ રાજીનામું આપું છું. ઉલેખનીય છે કે, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયાએ મહાપાલિકા માટે ટિકિટની દાવેદારી કરી હતી અને તેઓને પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવેલ નથી જેથી તેઓએ મહાપાલિકાના વોર્ડ નંબર 10 માંથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.






Latest News