મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે
SHARE
મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે
મોરબીમાં દર વર્ષે પરશુરામ જન્મ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 19 ને રવિવારે મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂદેવોને સહપરિવાર જોડાવા માટે આયોજકો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના વાઘપરા શેરી નંબર-14 માં આવેલ ગાયત્રી મંદિરથી આ શોભાયાત્રા તા 19 ના રોજ બપોરે 3:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને રામ ચોક, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ ચોક, નગર દરવાજા, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક, નવલખી રોડ થઈને આ શોભાયાત્રાને નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી તેમજ મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ અને વિજયભાઇ રાવલ સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે.