મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો


SHARE













માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો

કચ્છ બાજુથી અમદાવાદ તરફ કતલખાને અબોલ જીવને આઇસર ગાડીમાં લઈને જવાના છે તેવી ગૌરક્ષકોને બાતમી મળી હતી જેથી કરીને માળીયા પાસે વોચ રાખી હતી અને ત્યારે મળેલ બાતમી મુજબનું વાહન નીકળતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેથી વાહન ચાલકે તેનું આઇસર મારી મૂક્યું હતું જેનો પીછો કરીને ધાંગધ્રા નજીક આઇસર ગાડીને રોકી હતી ત્યારે ગૌરક્ષકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવામાં આવી રહેલા 38 જેટલા અબોલ જીવને બચાવવામાં આવેલ છે અને ધાંગધ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી છે.

કચ્છ તરફથી  માળીયા થઈને અમદાવાદ બાજુ આઇસર ગાડીમાં અબોલ જીવને કતલખાને લઈ જવાના છે તેવી હક્કિત મળી હતી જેથી કરીને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન, પરિષદ દિલ્હી, કચ્છ ગૌરક્ષક, ધાંગધ્રા ગૌરક્ષક દ્વારા વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબની આઇસર ગાડી નં. જીજે 6 એટી 8168 આવતા તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે માળીયા પાસેથી વાહન ચાલકે તેની ગાડીને ભાગાવી મૂકી હતી જેથી માળીયાથી આઇસરનો પીછો કરતા હતા અને આઇસર હળવદ થઈને ધાંગધ્રા તરફ જઈ રહ્યું હતું ત્યારે ધાંગધ્રા નજીક ગાડીને રોકી હતી અને તેને ચેક કરવામાં આવતા ગાડીમાં ક્રૂરતાપૂર્વક   ખીચો ખીચ  38 પાડા ભરેલા હતા જેથી કરીને કતલખાને લઈ જવામાં આવતા અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા હતા અને ગાડી સહિતનો મુદામાલ ધાંગધ્રા પોલીસને હવાલે કરવામાં આવેલ છે. જેથી કરીને પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કે, અબોલ જીવ ભરેલા આઇસરનું જુદીજુદી 3 ગાડીમાં રહેલા શખ્સો દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હતું અને ગૌરક્ષકો દ્વારા અબોલ જીવ ભરેલી ગાડી રોકવામાં આવતા તેઓની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News