વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું

દેશની નામી કંપનીઓમાં હિંદુ દીકરીઓના જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃતિઓ થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમ્યાન મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા જેહાદી માનસિકતા ધરાવનાર લોકો સામે વિરોધ પ્રદર્શન કરીને પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જેહાદી માનસિકતા ધરાવતા લોકોની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવેલ છે અને જુદીજુદી પ્રતિષ્ઠિત સંસ્થામાં ઉચ્ચ હોદા ઉપર બેસીને કામ કરતાં લોકો દ્વારા લવ જેહાદના માધ્યમથી હિંદુ દીકરીઓના ધર્મ પરિવર્તન અને લેન્ડ જેહાદના માધ્યમથી અવૈધ કબ્જાનું સુનિયોજિત ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં મોરબીના નગર દરવાજા ચોકમાં જેહાદી માનસિકતાના પુતળાનું દહન કર્યું હતું અને કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત, સુરેન્દ્રનગર વિભાગ, મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડના જવાબદાર કાર્યકર્તા બંધુઓ તથાં માતૃશક્તિ અને દુર્ગાવાહિનીનાં કાર્યકર્તા ભગિનીઓ તથા હિંદુ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને સરકાર દ્વારા જેહાદી માનસિકતા વાળા લોકોની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News