વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ


SHARE







મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ

સ્થાનિક શિક્ષણ જગતની અગ્રણી સંસ્થા ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ 'એ' ની વિદ્યાર્થીની ગઢવી ધારા એ તાત્યા ટોપે અને પરમાર આયશા એ અનંત લક્ષ્મણ કન્હરે ના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી ત્યારબાદ ૧૧ બી ના વિદ્યાર્થી પીલુડીયા જુનેદ એ ચાફેકર બંધુના જીવનની માહિતી બધાને જણાવી હતી. કાર્યક્રમ આગળ વધારતા ધોરણ ૧૧ 'એ' અને બી ના વિદ્યાર્થીઓએ તેમની છબીઓ સમક્ષ પુષ્પ અર્પણ કર્યા હતા.

શાળાના આચાર્ય તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.આચાર્ય વિરડીયા એ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય છે અને તેઓ મહાન વિભૂતિઓના જીવનમાંથી પ્રેરણા મેળવી ઉમદા નાગરિક બનવા તરફ પ્રેરાય છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.જેમાં શાળાનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.






Latest News