હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE







મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીમાં પવિત્ર અધિક માસ નિમિત્તે સુપ્રસિદ્ધ વક્તા ભાણદેવજીના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબી અને આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને તે કથાનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

મોરબીના કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે સુપ્રસિદ્ધ વક્તા ભાણદેવજીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અધિક માસના પુણ્યશાળી દિવસોમાં યોજાનારી આ કથામાં તેઓ પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. આ કથાનો પ્રારંભ તા. ૧૭/૦૫/૨૦૨૬, રવિવારથી થશે અને તા.૨૩/૦૫/૨૦૨૬ શનિવારના રોજ ક્થા વિરામ થશે. આ કથામાં ભક્તો ભક્તિનો આનંદ માણી શકે તે હેતુથી ક્થાનો સમય રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ રાખવામાં આવ્યો છે. જેથી આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજકો દ્વારા સમસ્ત મોરબીવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. કથાની વધુ માહિતી માટે મગનભાઈ ગામી (૯૯૨૫૭ ૨૭૧૭૬) તથા મગનભાઈ જેઠલોજા (૯૪૦૮૯ ૩૯૨૭૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News