અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય


SHARE







મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે યુધ્ધ ચાલી રહ્યું છે તેને લઈને પેટ્રોલ-ડીઝલની કટોકટીના એંધાણ વર્તાઇ રહ્યા છે જેથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા માટે કહ્યું હતું. જે અપિલને ધ્યાને રાખીને મોરબીના ડો. બી.કે. લહેરૂબે મહિના સુધી કાર અને સ્કૂટરનો વપરાશ નહિ કરવાનો નિર્ણય કર્યો છે

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ, લખધીરજી એન્ડામેન્ટ ટ્રસ્ટના ચેરમેન, સીનીયર સીટીઝન પ્રમુખ, વૈધ સભા અને લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ડો. બી.કે.લહેરૂએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ કરવા માટે અપીલ કરી હતી તેને ધ્યાને રાખીને તા. 15 મે થી તા 17 સપ્ટેમ્બર એટ્લે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સુધી પોતાની કાર અને સ્કૂટરનો ઉપયોગ નહિ કરવા માટેનો નિર્ણય કર્યો છે. અને તેઓ વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે તેવું જણાવ્યુ છે.






Latest News