અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ


SHARE







મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ

મોરબીમાં મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં હાલ બિરાજતા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં અવનવા ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યાં છે. ત્યારે ગુરૂદેવ દ્વારા આગામી તા.૨૮ ને ગુરુવારે બકરી ઇદ હોઈ 'અહિંસા પરમો ધર્મ', 'જિયો ઔર જીને દો' ની ભાવના રાખવા વાળા દરેક ભાવિકોને આ દિવસે અબોલ જીવોની અનુકંપા, પ્રાર્થના , સંવેદના માટે એક આયંબિલ તપ કરી 'કરુણા દિવસ' તરીકે મનાવવાની પૂ આચાર્યશ્રી એ પ્રેરણા કરી છે.તેથી સર્વે જૈન શ્રાવક શ્રાવિકાઓ બકરી ઇદના દિવસે એક આયંબિલ તપ કરીને અથવા આયંબિલ ન કરી શકે તેઓએ આ દિવસે ભોજનમાં સફેદ વસ્તુનો ત્યાગ કરીન્ અબોલા જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. તેમજ તા.૨૪ ને રવિવારે સવારે ૯ વાગ્યે પૌષધ શાળામાં ગજસુકુમાર સમભાવ સામાયિકનું આયોજન કરવામાં આવેલ હોય તમામ લોકોએ સફેદ વસ્ત્રોમાં અને સામાયિક ઉપકરણ સાથે લઈ આવવું તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News