મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ


SHARE











મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ

મોરબીમાં મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં હાલ બિરાજતા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં અવનવા ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યાં છે. ત્યારે ગુરૂદેવ દ્વારા આગામી તા.૨૮ ને ગુરુવારે બકરી ઇદ હોઈ 'અહિંસા પરમો ધર્મ', 'જિયો ઔર જીને દો' ની ભાવના રાખવા વાળા દરેક ભાવિકોને આ દિવસે અબોલ જીવોની અનુકંપા, પ્રાર્થના , સંવેદના માટે એક આયંબિલ તપ કરી 'કરુણા દિવસ' તરીકે મનાવવાની પૂ આચાર્યશ્રી એ પ્રેરણા કરી છે.તેથી સર્વે જૈન શ્રાવક શ્રાવિકાઓ બકરી ઇદના દિવસે એક આયંબિલ તપ કરીને અથવા આયંબિલ ન કરી શકે તેઓએ આ દિવસે ભોજનમાં સફેદ વસ્તુનો ત્યાગ કરીન્ અબોલા જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. તેમજ તા.૨૪ ને રવિવારે સવારે ૯ વાગ્યે પૌષધ શાળામાં ગજસુકુમાર સમભાવ સામાયિકનું આયોજન કરવામાં આવેલ હોય તમામ લોકોએ સફેદ વસ્ત્રોમાં અને સામાયિક ઉપકરણ સાથે લઈ આવવું તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News