મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત
મોરબી મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ તથા સુવ્યવસ્થિત નગર વિકાસને પ્રાથમિકતા આપતાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક માટે 3.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે અને તે વિકાસ કામનું મહાપાલિકાના ચૂંટાયેલા સદસ્યો જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિસ્તારના સ્થાનિક આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.