મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ
મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા
SHARE
મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા
બાળકો પ્રત્યે અતૂટ પ્રેમ અને શિક્ષણ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવતા સમાજ સેવા કેન્દ્ર મોરબીના પ્રમુખ ટી.ડી. પટેલની પ્રેરણાથી વાસુર્ણા ખાતે ‘માતૃશ્રી જમનાબા પટેલ શૈક્ષણિક સંકુલ’નું નિર્માણ થઈ રહ્યું છે. આ સંકુલના સાનિધ્યમાં તાજેતરમાં બાળકોના સર્વાંગી વિકાસ અને આનંદ માટે "બાળકોની આંગળી પકડીને રમવા લઈ જવાના" એક સુંદર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે રતનપા ચેરિટેબલ ટ્રસ્ટ, બારડોલીના શશીભાઇના વિશેષ સહયોગથી બાળકોના મનોરંજન માટે વિવિધ રમતના સાધનો ભેટ આપવામાં આવ્યા હતા. જેમાં હિંચકા, લપસિયા, સાયકલ, ફૂલ રેકેટ, ક્રિકેટ સેટ સહિતના સાધનોનો સમાવેશ થાય છે. અને આ સાધનો આપવાથી બાળકોના ચહેરા ઉપર અનોખી ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી જેમાં હર્ષિદાબેન ચૌધરી (ચીખલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર) તથા તેમની વન વિભાગની ટીમ અને ક્રિષ્નાસ્વામી મહારાજ (ઓશો આશ્રમ, સોનગીર) તથા તેમના સાધકો તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.