એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ
મોરબીના પરશુરામ બ્રિજ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાનો રાજકોટ ખસેડાયા
SHARE
મોરબીના પરશુરામ બ્રિજ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાનો રાજકોટ ખસેડાયા
મોરબીના નવલખી હાઇવે ખાતે અજાણ્યા કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાનોને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.
વધુમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા પરશુરામ ઓવરબ્રિજ નજીક અજાણ્યા કારના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું.આ બનાવમાં બાઈકમાં સવાર વ્રજમોહન ગિરવરભાઈ રામદેવ (૧૮) તેમજ અભિષેક રામભોગભાઈ દરજ (૨૪) રહે.બંને યમુનાનગર નવલખી રોડ મોરબી ને ગંભીરપણે ઘવાયેલ હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.અત્રે બંનેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત વધુ નાજુક જણાતા બંનેને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપરના શોભેશ્વર રોડ ખાતે મારામારીના બનાવમાં પીઠ તથા થાપાના ભાગે ઇજા થતાં વાલાભાઈ દેવજીભાઈ ધોળકિયા નામના ૪૨ વર્ષના યુવાનને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.
ઊંચાઈએથી પડી જતા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ લાલજીભાઈ રાઠોડ નામનો ૪૨ વર્ષનો યુવાન બીજા માળની ઊંચાઈએથી નીચે પડી ગયો હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.બનાવને પગલે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાસેના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ અમૃતભાઈ સાગઠીયા નામના ૩૬ વર્ષના યુવાનને તેના ઘર નજીક કોઈ વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી તેને સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસસુત્રો દ્વારા જણાવાયેલ છે.
મારામારીમાં ગંભીર ઈજા
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા લુસણીયા ગામે રહેતા મહેશભાઈ હીરાભાઈ ઉમખાણીયા નામના ૩૦ વર્ષના યુવાનને તેના ગામમાં આવેલ સહકારી મંડળી પાસે મેસરીયા રોડ ખાતે માર મારવામાં આવ્યો હતો.કુહાડી તથા પથ્થર વડે તેને માર મારવામાં આવતા મહેશભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અત્રે પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને પ્રાથમિક તપાસ બાદ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.