મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ


SHARE











મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા યુવાનને રૂપિયાની જરૂર હોય બે શખ્સો પાસેથી 30 ટકાના ઊંચા વ્યાજે જુદા જુદા સમયે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેની સામે વધુ રકમ વ્યાજની ચૂકવી દીધી હોવા છતાં યુવાન પાસેથી બળજબરીથી વધુ પૈસા પાડવા માટે તેને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને અગાઉ વ્યાજખોરોએ લીધેલા કોરા ચેકને બેંકમાં ભરીને ચેક રિટર્ન કરીને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા પારસભાઈ રમેશભાઈ રૈયાણી (32)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પરબતભાઈ સવજીભાઈ રબારી રહે. કોયલી તથા નિકુંજ ઉર્ફે નીતિનભાઈ વાસિયાંગભાઈ જારીયા રહે. ગજડી તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ 2025 ના 10 માં મહિનામાં તેને રૂપિયાની જરૂર હોવાથી અલગ અલગ તારીખે 30 ટકાના ઊંચા માસિક વ્યાજે પરબતભાઈ રબારી પાસેથી 4,00,000 તથા નિકુંજ પાસેથી 1,50,000 રૂપિયા લીધેલા હતા અને જેની સામે આરોપીઓએ તેની પાસેથી ગેરંટી તરીકે ફરિયાદીની સહી વાળા કોરા ચેક લીધેલા હતા અને હાથ ઉછીના રૂપિયાનું લખાણ કરાવી લીધું હતું અને ફરિયાદીએ આરોપી પરબત રબારીને અત્યાર સુધીમાં 8.40 લાખ તથા નિકુંજ જારીયાને 1.35 લાખ રૂપિયા વ્યાજના ચૂકવી આપેલ છે તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ અને મૂળ રકમની અવારનવાર બજબરીપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી આટલું નહીં પરંતુ ફરિયાદી પાસેથી અગાઉ લેવામાં આવેલા કોરા ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્નનો કેસ કરવા માટેની ધમકી આપી નોટિસ મોકલાવી હતી અને માનસિક ત્રાસ આપ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News