મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા માસ્કનું વિતરણ કરાયું
મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે
SHARE
મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે
મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે કે, મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સામેલન વિશેષ હેતુ માટે રાખવામા આવ્યું છે અને આગામી સોમવાર તા ૩/૧/૨૨ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે જડેશ્વર મંદિર કહતે સંમેલન યોજવનું છે જેના માટે બ્રાહ્મણોએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને જે કર્મકાંડી બ્રાહ્મણો સંમેલનમા આવવાના હોય તેઓએ વિપુલભાઈ શાસ્ત્રી (૮૮૨૫૨ ૩૧૭૩૦), રમેશભાઈ (૯૯૦૯૫ ૬૦૯૯૮) અને ઠાકરભાઈ (૯૫૮૬૮ ૯૮૬૦૩) ઉપર સંપર્ક કરવા વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે