મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન


SHARE







મોરબીમાં થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને પિતા દ્વારા યોજાયેલ કેમ્પમાં 76 લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં માનવતા અને સેવા ભાવનાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં એક પિતાએ પોતાના થેલેસેમીયાગ્રસ્ત સ્વર્ગસ્થ પુત્રની યાદને સેવા સાથે જોડીને રક્તદાન કેમ્પ કર્યું હતું અને આ કેમ્પ આજે જ નહીં છેલ્લા 15 વર્ષથી તેઓના દ્વારા કરવામાં આવે છે અને તેમાં મોરબીના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરીને માનવતા મહેકાવવામાં આવે છે.


મોરબીમાં રહેતા વિક્રમભાઈ દફતરીના વ્હાલસોયા સ્વર્ગસ્થ દીકરા કાર્તિકને થેલેસેમીયાની બીમારી હતી અને તેનું અવસાન થયા બાદથી તેની યાદમાં દર વર્ષે તેઓ દ્વારા મોરબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ3 છે. છેલ્લા પંદર વર્ષથી સતત ચાલતા આ સેવાયજ્ઞમાં માત્ર પરિવાર જ નહીં, પરંતુ મોરબી, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર સહિત બહારગામ વસતા તેમના મિત્રમંડળ પણ ઉત્સાહભેર જોડાયા હતા અને કુલ મળીને 76 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોની સંખ્યા નોંધપાત્ર છે. આવા બાળકો માટે નિયમિત બ્લડની જરૂરિયાત જીવનરક્ષક બની રહે છે. ત્યારે વિક્રમભાઈ દફતરી દ્વારા કરવામાં આવતું આ આયોજન અનેક બાળકો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. અને દફતરી પરિવારની આ અનોખી ભાવના અને માનવતા ભર્યું કાર્ય સમાજ માટે એક પ્રેરણારૂપ બની રહ્યું છે. કહેવામાં આવે છે કે સાચી શ્રદ્ધાંજલિ સેવા છે અને મોરબીના દફતરી પરિવારે આ વાતને સાબિત કરી બતાવી છે.






Latest News