વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મી)માં ફાયરિંગ કરીને આધેડની હત્યા કરવાના ગુનામાં શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ ૧૨ વર્ષ વિકાસના: ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૧૯૫ લાભાર્થીઓને ૮૯.૧૦ લાખની સહાય અર્પણ મોરબીમાં ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમ મોરબી: બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકાયું મોરબી: મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના નિવૃત્ત સભ્યોને હવે મળશે પૂર્વ સૈનિકનો દરજ્જો
Breaking news
Morbi Today

૧૨ વર્ષ વિકાસના: ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૧૯૫ લાભાર્થીઓને ૮૯.૧૦ લાખની સહાય અર્પણ


SHARE











૧૨ વર્ષ વિકાસના: ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૧૯૫ લાભાર્થીઓને ૮૯.૧૦ લાખની સહાય અર્પણ

સરકારની આ કલ્યાણકારી યોજના હેઠળ મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લામાં પ્રથમ હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૨૦.૪૦ લાખ, બીજા હપ્તાના ૬૮ લાભાર્થીઓને રૂ. ૪૯.૮૦ લાખ, ત્રીજા હપ્તાના ૫૮ લાભાર્થીઓને રૂ. ૧૮.૮૦ લાખ અને ચોથા હપ્તાના ૧ લાભાર્થીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે.

તાલુકાવાર છણાવટ કરીએ તો, મોરબી તાલુકામાં સૌથી વધુ ૮૫ લાભાર્થીઓને રૂ. ૩૮,૮૦,૦૦૦/-, વાંકાનેર તાલુકામાં ૪૨ લાભાર્થીઓને રૂ. ૨૦,૨૦,૦૦૦/-, હળવદ તાલુકામાં ૨૪ લાભાર્થીઓને રૂ. ૧૦,૭૦,૦૦૦/-, ટંકારા તાલુકામાં ૨૮ લાભાર્થીઓને રૂ. ૧૧,૪૦,૦૦૦/- તેમજ માળિયા તાલુકામાં ૧૬ લાભાર્થીઓને રૂ. ૮,૦૦,૦૦૦/- ની સહાય ચૂકવીને ઘરવિહોણા પરિવારોના પાકા ઘરનું સપનું સાકાર કરવામાં આવ્યું છે.

આ યોજના અન્વયે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, અથવા તદ્દન કાચું ગાર-માટીનું, ઘાસપૂળાનું કે કુબા ટાઈપનું રહેઠાણ અયોગ્ય મકાન ધરાવતા હોય તેમજ મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માંગતા હોય, તેમને નવું મકાન બનાવવા માટે કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ યોજનાના નિયમો અનુસાર લાભાર્થી કે પરિવારના સભ્યોએ અગાઉ કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન પણ આ યોજનાનો વ્યાપ વધારવા માટે પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા નાગરિકોએ સરકારના અધિકૃત પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે અને વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો જેવા કે ઓળખપત્ર, રેશનકાર્ડ, જાતિ અને આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જમીન માલિકીનો દસ્તાવેજ, તલાટીની સહીવાળો ચતુર્દિશા નકશો અને ખુલ્લા પ્લોટ કે જર્જરિત મકાનનો ફોટો ઓનલાઈન સબમિટ કરવાનો રહેશે. આ યોજના અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન માટે અરજદારો રૂમ નં. ૨૧૭, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકે છે.






Latest News