હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ


SHARE







મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયા હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રીના હરિયાળા ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ પ્રતિબદ્ધ થયા હતા. તેમજ મોરબીના શનાળા રોડ ખાતે સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણી નિમિત્તે આયોજિત 'જનકલ્યાણ શિબિર' માં ઉપસ્થિત રહી નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે અને મોરબી સહિત સમગ્ર ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ શિબિર થકી અનેક લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીને પ્રગતિના આ પથ પર અવિરત આગળ વધવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.તેમ મંત્રી અમૃતીયાએ જણાવ્યું હતુ. આ તકે મોરબીના મેયર ઉતમભાઇ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે તેમજ ચૂંટાયેલા સભ્યો, ભાજપના આગેવાનો અને હોદેદારો તેમજ અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા.






Latest News