મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ
મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ
SHARE
મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયા હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રીના હરિયાળા ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ પ્રતિબદ્ધ થયા હતા. તેમજ મોરબીના શનાળા રોડ ખાતે સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણી નિમિત્તે આયોજિત 'જનકલ્યાણ શિબિર' માં ઉપસ્થિત રહી નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે અને મોરબી સહિત સમગ્ર ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ શિબિર થકી અનેક લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીને પ્રગતિના આ પથ પર અવિરત આગળ વધવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.તેમ મંત્રી અમૃતીયાએ જણાવ્યું હતુ. આ તકે મોરબીના મેયર ઉતમભાઇ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે તેમજ ચૂંટાયેલા સભ્યો, ભાજપના આગેવાનો અને હોદેદારો તેમજ અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા.