મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ


SHARE







મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ

મોરબીના મધુપુર ગામના વતની છગનભાઇ બાબુભાઈ ઉપસરીયા કોળી તા૧૦-૧૨-૨૪ ના રોજ બપોરે ૧૧ વાગ્યે ઘરે જતા હતા.ત્યારે બાઈક લઈ જતા સમયે જેતપર રોડ પાવડીયાળી કેનાલ પાસે સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ ઓ ૮૮૭૮ ના ચાલકે પુરઝડપે બેફિકરાઇથી ચલાવી બાઈકને હડફેટે લેતા છગનભાઈ પડી ગયેલ હતા.તેમજ માણસો ભેગા થઈ ગયા હતા.બનાવ બાદ છગનભાઈને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલ બાદ રાજકોટ સીનર્જી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ હતા.ત્યાં ઓપરેશન કરેલ ૨૫ દિવસ દવાખાનામાં દાખલ રાખેલ હતા.માથામાં ઈજાઓ થયેલ તથા જમણા પગમા ફ્રેકચર થયેલ જે બાબત તેમણે અકસ્માત વળતરની રકમ મેળવવા દાવો દાખલ કરાવ્યો હતો.આ દાવામા સામાવાળા વીમા કંપનીને રૂ.૧૮,૦૦,૦૦૦ નું વળતર ચુકવવાનો હુકમ મોરબીના અધિક ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.આર.નાદપરાએ ફરમાવેલ છે.જે રકમ હુકમની તારીખથી ત્રણ માસમાં જમા કરાવવાનો પણ હુકમ ફરમાવેલ છે.આ કેશમાં અકસ્માતનો ભોગ બનેલા છગનભાઈ ઉપસરીયા વતી અહીંના જાણીતા એડવોકેટ કૌશિકકુમાર એ.ભટ્ટ રોકાયેલ હતા.






Latest News