ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો


SHARE













પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો

આજથી મોરબી જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો વાંકાનેરમાં ઘાટ સર્જાયો છે અને વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોએ નનૈયો કર્યો છે અને વાલીઓના સંમતિપત્રો આવે પછી વેક્સિન આપવાનું કહેવામા આવ્યું છે જેથી કરીને હાલમાં આરોગ્યની ટિમ સ્કૂલમાં વાલીઓના સંમતિપત્રો આવે તેની રાહ જોઈને બેઠી છે

મોરબી જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાની ૨૩૫ સંસ્થાઓમાં ૧૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવા માટેનું આરોગ્યની ટિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો વાંકાનેરમાં ઘાટ સર્જાયો છે અને વાંકાનેરમાં આવેલ ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં નનૈયો કરેલ છે જેથી કરીને હજુ સુધી કોઈ વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી નથી આ મુદે આરોગ્ય વિભાગના અધિકારી ડો. વિપુલભાઈ કરોલીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવાની શાળાના સંચાલકે ના કહી છે અને વાલીઑના સંમતિપત્ર આવે પછી વેક્સિન આપવાનો હાલમાં શાળાના  સંચાલકોનો દ્વારા આગ્રહ રાખવામા આવી રહ્યો છે જેથી હજુ સુધી કોઈ વિદ્યાર્થીને વેક્સિન દેવામાં આવી નથી અને આ અંગેની મોરબી જિલ્લાના શિક્ષણાધિકારીને પણ આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે 






Latest News