મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો


SHARE











પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો

આજથી મોરબી જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો વાંકાનેરમાં ઘાટ સર્જાયો છે અને વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોએ નનૈયો કર્યો છે અને વાલીઓના સંમતિપત્રો આવે પછી વેક્સિન આપવાનું કહેવામા આવ્યું છે જેથી કરીને હાલમાં આરોગ્યની ટિમ સ્કૂલમાં વાલીઓના સંમતિપત્રો આવે તેની રાહ જોઈને બેઠી છે

મોરબી જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાની ૨૩૫ સંસ્થાઓમાં ૧૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવા માટેનું આરોગ્યની ટિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો વાંકાનેરમાં ઘાટ સર્જાયો છે અને વાંકાનેરમાં આવેલ ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં નનૈયો કરેલ છે જેથી કરીને હજુ સુધી કોઈ વિદ્યાર્થીને વેક્સિન આપવામાં આવી નથી આ મુદે આરોગ્ય વિભાગના અધિકારી ડો. વિપુલભાઈ કરોલીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવાની શાળાના સંચાલકે ના કહી છે અને વાલીઑના સંમતિપત્ર આવે પછી વેક્સિન આપવાનો હાલમાં શાળાના  સંચાલકોનો દ્વારા આગ્રહ રાખવામા આવી રહ્યો છે જેથી હજુ સુધી કોઈ વિદ્યાર્થીને વેક્સિન દેવામાં આવી નથી અને આ અંગેની મોરબી જિલ્લાના શિક્ષણાધિકારીને પણ આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે 






Latest News