મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન મોરબી મહેન્દ્રનગર ગામે છાતીમાં દુ:ખાવો થયા બાદ યુવાનનું મૃત્યુ સરકારને ચેતવણી, જો હવે ખેડૂત હિતનો નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બોલાવવામાં આવશે ખેડૂત મહા પંચાયત, અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડશે મોરબી શહેરના વોર્ડ નં.૩ સેવા સદન, કોર્ટ પરિસર, લાલબાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ મોરબીમાં પિતાની પૂર્ણતિથિએ દીકરાએ સેવાકાર્ય કરીને આપી શ્રધ્ધાંજલિ
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન


SHARE









મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા સ્થાનિક  પત્રકારોના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવા  "પત્રકાર સન્માન સમારોહ" નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પત્રકારશ્રીઓનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું  હતું.મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્યોએ જણાવ્યું હતું કે પત્રકારો સમાજનો સશક્ત અવાજ છે,જે નિષ્ઠાપૂર્વક સત્યને લોકો સુધી પહોંચાડીને લોકશાહી અને સમાજને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સમારોહ દરમિયાન હૃદયપૂર્ણ અને આનંદમય વાતાવરણ વચ્ચે મહેમાનો સાથે આત્મીય સંવાદ યોજાયો હતો.ઉપસ્થિત પત્રકારમિત્રો અને મુસ્કાન પરિવારના સભ્યોએ કાર્યક્રમની પ્રશંસા કરી અને આવા પ્રેરણાદાયી કાર્યક્રમો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે.તેવી લાગણી વ્યક્ત કરી હતી.કાર્યક્રમના અંતે સૌએ સહભોજનનો લાભ લીધો અને એકબીજાનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન થયું હતું. #morbi #મોરબી 






Latest News