મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન મોરબી મહેન્દ્રનગર ગામે છાતીમાં દુ:ખાવો થયા બાદ યુવાનનું મૃત્યુ
Breaking news
Morbi Today

૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬


SHARE









૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬

અષાઢી બીજ, આ દિવસ કચ્છમાં નવા વર્ષ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કચ્‍છીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહત્‍વ છે. કચ્‍છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામુલ્‍ય ગણાય છે. અહીં એક માન્‍યતા એવી છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો સુકનવંતુ ગણાય છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર તેમજ કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આગામી અષાઢી
બીજના પાવન અવસરે અને તેની ભવ્યાતિભવ્ય ઉજવણી નિમિત્તે કચ્છ લોકસભા દ્વારા સતત બીજા વર્ષે તા.૧૬-૭-૨૬, ગુરૂવારના સાંજે ૫ કલાકે ‘સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬’ નું ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. 

વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે ‘સાંસદ કચ્છ કાર્નિવલ’ માં ગત વર્ષની જેમ આ વર્ષ પણ કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર અને અદભુત સમન્વય જોવા મળશે. આ ઉપરાંત કાર્નિવલને વધુ આકર્ષક બનાવવા ખેંગારબાગ થી હોટલ લેકવ્યુ સુધીના માર્ગને રંગબેરંગી લાઈટો અને સેલ્ફી પોઇન્ટથી શણગાર કરવામાં આવશે. તેમજ વિવિધ સ્થળોએ આકર્ષક સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા એ ‘સાંસદ કચ્છ કાર્નિવલ’ માં ભાગ લેવા તા.૦૮/૦૭/૨૦૨૬ સુધી રજીસ્ટ્રેશન કરવા વિવિધ શાળા-કોલેજ, સંસ્થાઓ તથા મંડળોને ઉત્સાહભેર જોડાવવા ખાસ અપીલ કરી છે. આ પ્રસંગે ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમના વિજેતાને રૂ|.૫૧,૦૦૦, બીજા ક્રમને રૂ|.૪૧,૦૦૦, ત્રીજા ક્રમને રૂ|.૩૧,૦૦૦, ચોથા ક્રમને રૂ|.૨૧,૦૦૦, પાંચમા ક્રમને રૂ|.૧૧,૦૦૦ અને કાર્નિવલમાં ભાગ લેનાર દરેક કૃતિને પ્રોત્સાહન રૂપે રૂ|.૫,૦૦૦ એનાયત કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે QR સ્કેન કરી તા.૮-૭-૨૬ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.સાંસદ વિનોદભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું કે કાર્નિવલમાં ભાગ લેનાર પ્રત્યેક કૃતિમાં ઓછામાં ઓછા ૨૫ કલાકાર જરૂરી છે. તથા પ્રદર્શનની શરૂઆતમાં પોતાની સંસ્થા કે મંડળનું બેનર આગળ રાખવું ફરજીયાત છે. તથા સ્પર્ધા અંગે નિર્ણાયકોનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે. આ પ્રસંગે વધુ માહિતી માટે રીતેનભાઈ ગોર મો.૯૮૨૫૨૨૭૯૦૫, વિશાલભાઈ ઠક્કર મો.૯૯૭૯૧૪૮૯૯૯, પંકજભાઈ ઝાલા મો.૯૮૨૪૨૨૨૮૩૨ અને પ્રતિકભાઈ શાહ મો.૯૬૨૪૧૨૮૯૮૯ ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે.






Latest News