મોરબીમાં મચ્છુ માતાજીનાં પ્રાગટ્ય દિવસ નિમિતે અષાઢી બીજે :રાસ-ગરબા અને હુડોની જમાવટ સાથે ભવ્ય રથયાત્રા યોજાઇ મોરબી તાલુકા પોલીસે બેલા ગામે રેડ કરતા ૩૨૪ બોટલ દારૂ પકડાયો, આરોપીઓની શોધખોળ: વનાળીયા ગામે બીયરના ૯૫ ટીન મળ્યા વાંકાનેર તાલુકાના દેરાળા ગામનો યુવાન પગપાળા અયોધ્યાની યાત્રાએ મોરબી : ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત હળવદના કડીયાણા ગામે જુગાર રમતા 5 શખ્સો 57,600 ની રોકડ સાથે પકડાયા મોરબી સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસેથી ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા એક આધેડનું મોત: એક ગંભીર ટંકારાના સરાયા ગામ નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબી : દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત
મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ સુરેન્દ્રનગરની સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા ધર્મિષ્ઠાબેન મહેશભાઈ ધાકડિયા (ઉમર ૧૫) રહે.કારેલા ગામ તા.લખતર જી.સુરેન્દ્રનગર નામની યુવતીનું મોત નિપજયુ હતુ.તેણી ઝેરી દવા પી ગયેલ હોય તેને ગત તા.૨૨-૬ ના રોજ મોરબી ખાતેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને તેનું તા.૬-૭ ના રોજ સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ હતું.બનાવની હોસ્પિટલ તરફથી મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા અત્રેની પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વધુ તપાસ માટે લખતર પોલીસને જાણ કરી હતી.જ્યારે મૂળ વડોદરા ખોડીયાર પાર્ક રાધિકા સોસાયટી ખાતેના વતની અને હાલ મોરબી મહેન્દ્રનગર ગામે રહેતા દિપકભાઇ વિસનજીભાઈ વરીયા પ્રજાપતિ (૪૪) નામના યુવાને કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.
દારૂ પકડાયો
મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ જડેશ્વર મંદિર પાસેના કોમ્પ્લેક્ષમાં એ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી દારૂના નાના ૨૦ ચપલા તથા દારૂની ૩૫ બોટલ મળી આવી હતી.જેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસે તપાસ કરતા તેમાં સમીર શેરઅલી મોવર તથા હાજરાબેન શેરઅલી મોવર બંને રહે.મોરબીના નામ સામે આવેલ હોય તેઓની સામે ગુનો દાખલ કર્યો હતો અને તે બંનેની શોધખોળ શરૂ કરાઈ હતી.
મારામારીમાં ઇજા
મોરબી સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા જીગ્નેશ મનસુખભાઈ મહેમદાવાદી નામના ૨૭ વર્ષના યુવાન ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.જેથી મારામારીમાં ઘવાયેલા જીગ્નેશભાઈને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જીગ્નેશભાઈને માથામાં ઇજા થઈ હોય રાજકોટના લઇ જવાયો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.તે રીતે જ મોરબી સોઓરડી પાસે આવેલ મારૂતિ પ્લોટ વિસ્તારમાં રહેતા હેમંતભાઈ કનુભાઈ ચૌહાણ (૪૦) નામના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેમને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી






Latest News