મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી


SHARE







મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી
શ્રી મોરબી સ્થાનકવાસી જૈન સંઘનાના આંગણે તા.૧૯ ને રવિવારે ચાતુર્માસ કરવા પધારેલ લીમડી અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી ડૉ.પૂ.ગુરૂદેવ શ્રી નિરંજન મુનીજી તથા પૂ.ગુરુદેવ શ્રી ચેતન મુનિજી (બંધુ બેલડી) તેમજ પૂ.શ્રી કોમલકુમારી મહાસતીજી અને પૂ. શ્રી એકતાકુમારીજી મહાસતીજીનું અમૂલ્ય ચાતુર્માસ પ્રાપ્ત થયું છે.પૂ.ગુરૂદેવ ૩૭ વર્ષે મોરબી ચાતુર્માસ કરવા પધારેલ હોઈ સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ અને આનંદ ની લાગણી ફેલાયેલી છે.
 
પૂ. ગુરુદેવનો પ્રવેશ સંઘના ઉપપ્રમુખ ઉર્મિલાબેનના નિવાસ સ્થાનેથી (મહેન્દ્રડ્રાઈવ રોડ) સવારે ૮.૦૦  કલાકે પ્રસ્થાન કરી ૮.૩૦ કલાકે શ્રી સ્થા. જૈન સંઘ સોની બઝાર ઉપાશ્રયમાં પધારશે.ત્યારબાદ વિશાશ્રી માળી વણિક વાડીમાં ધાર્મિક કાર્યક્રમો બાદ વ્યાખ્યાન માંગલિક ફરમાવશે.પૂ. મહાસતીજીઑનો મંગલ પ્રવેશ કાર્યક્રમ તા.૨૦ ને સોમવારે સવારે ૭.૩૦ કલાકે સોની બઝાર ઉપાશ્રયથી પ્રસ્થાન કરી શ્રી મણીબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પૌષધ શાળામાં જય નાદ સાથે ૮.૧૫ કલાકે પધારશે.ઉપરોકત કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓને પધારવા બંને સંઘની એક યાદીમાં જણાવેલ છે.





Latest News