દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન
SHARE
દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન
મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ મહિલા સમન્વય અને મોરબી જિલ્લા દ્વારા ‘હમ હૈ ભારત વિધાતા–દીકરી એ જ દેશનું ભવિષ્ય’ વિષય પર છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનનો મુખ્ય હેતુ દીકરીઓમાં સંસ્કાર, રાષ્ટ્રભાવના, આધુનિક વિચારસરણી તેમજ સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો છે. સંમેલનમાં રાષ્ટ્રનિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ સંમેલનમાં વિવિધ સત્રો યોજાશે, જેમાં ‘સોશિયલ મીડિયા અને હું એક ઉત્તમ છાત્રા’ તથા ‘ભવિષ્યના રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા’ જેવા વિષયો પર નિષ્ણાત વક્તાઓ માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી, સમાપન સત્ર અને અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ સંમેલન તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 9:00થી 11:30 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, શકત શનાળા મોરબી ખાતે યોજાશે. જેમાં શાળા અને કોલેજની વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાશે.