મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું


SHARE











વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે આવેલ મંદિર નજીક રહેતા વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ વૃદ્ધ મહિલાને હોસ્પિટલના ડોક્ટર મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોકનાકા પાસે લીલાધર મંદિર નજીક રહેતા સુરજાબેન નુરજાભાઈ માલીધીન (૬૦) ને ગઈકાલે શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં વાંકાનેરની સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માત

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ એસ્ટ્રોન પેપર મીલ પાસેથી અજીતભાઈ કહેરભાઈ રાઠોડ (ઉંમર ૪૨) રહે. ઘનશ્યામપુર નવા પ્લોટ વિસ્તાર વાળા પોતાનું બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ એલ ૯૩૩૬ ના ચલાકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અજીતભાઈ રાઠોડને ઇજાઓ થઇ હતી અને તેના બાઈકમાં પણ નુકસાન થયું હતું જેથી કરીને હાલમાં ભોગ બનેલા અજીતભાઈ રાઠોડે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News