મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર- રામદેવપીર મંદિર પાસે ઉભરાતી ગટર !: રમેશ રબારી


SHARE













મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર- રામદેવપીર મંદિર પાસે ઉભરાતી ગટર !: રમેશ રબારી

મોરબી શહેરની એ ગ્રેડની કહેવાથી નગરપાલિકાએ શહેરને નર્કાગાર જેવી પરિસ્થિતિમાં મૂકી દીધેલ છે અને જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરના ગંદા પાણી શેરી ગલીઓમાં ચોમાસાના વરસાદની જેમ વહેતા હોય છે ત્યારે મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર પાસે ઉભરાતી ગટર પણ સાફ કરવામાં આવતી ણ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે કે, વોર્ડ નં- ૧૨ મા રામદેવપીરનું મંદિર છે ત્યાં ભાજપના એક ચૂંટાયેલા સદસ્યનું ઘર પણ આવેલ છે ત્યાં છેલ્લા ચારથી પાંચ દિવસથી ગટર ઉભરાઈ છે જેના ગંદા પાણી મંદિરની આસપાસ ભરાઇ ગયેલ છે જેથી કરીને મંદિરે આવતા જતાં લોકોને હેરાન થવું પડે છે અને પાલિકાને ભૂગર્ભ ગટર સાફ કરવા માટે લોકોએ રજૂઆત કરી છે તો પણ ભાજપના ચૂંટાયેલા સદસ્ય અને ચેરમેન છે છતાં આ વોર્ડની અંદર કોઈ કામ થતું નથી આ ઉભરાતી ગટરના પાણીના કારણે રવાપર મેન રોડ પર ચોમાસાના વરસાદના પાણીની જેમ ગટરના પાણી વહેવા લાગ્યા છે જેના કારણે વેપાર ધંધો કરતા દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકા ભાજપની છે અને ભાજપના સદસ્યના ઘર પણે ગંદકી છે તો પણ ત્યાં કામ કરવામાં આવતું નથી તો પછી બીજા લોકોના કામ કેવી રીતે કરવામાં આવતા હશે તે સૌથી મોટો સવાલ છે અને મોરબી પાલિકાના ભૂગર્ભ કામનો કોન્ટ્રાકટર રાખનાર કોન્ટ્રાકટરને જો પૈસા આપવવમાં આવે તો કામ થાય છે આટલી હદે પાલિકામાં ભ્રષ્ટાચાર પગ કરી ગયો છે માટે લોકોને આ ગંદકીમાંથી ઊગારવા કોંગ્રેસનાં આગેવાને રજૂઆત કરેલ છે 






Latest News