મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર- રામદેવપીર મંદિર પાસે ઉભરાતી ગટર !: રમેશ રબારી


SHARE











મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર- રામદેવપીર મંદિર પાસે ઉભરાતી ગટર !: રમેશ રબારી

મોરબી શહેરની એ ગ્રેડની કહેવાથી નગરપાલિકાએ શહેરને નર્કાગાર જેવી પરિસ્થિતિમાં મૂકી દીધેલ છે અને જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરના ગંદા પાણી શેરી ગલીઓમાં ચોમાસાના વરસાદની જેમ વહેતા હોય છે ત્યારે મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર પાસે ઉભરાતી ગટર પણ સાફ કરવામાં આવતી ણ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

ગુજરાત પ્રદેશ કોગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે કે, વોર્ડ નં- ૧૨ મા રામદેવપીરનું મંદિર છે ત્યાં ભાજપના એક ચૂંટાયેલા સદસ્યનું ઘર પણ આવેલ છે ત્યાં છેલ્લા ચારથી પાંચ દિવસથી ગટર ઉભરાઈ છે જેના ગંદા પાણી મંદિરની આસપાસ ભરાઇ ગયેલ છે જેથી કરીને મંદિરે આવતા જતાં લોકોને હેરાન થવું પડે છે અને પાલિકાને ભૂગર્ભ ગટર સાફ કરવા માટે લોકોએ રજૂઆત કરી છે તો પણ ભાજપના ચૂંટાયેલા સદસ્ય અને ચેરમેન છે છતાં આ વોર્ડની અંદર કોઈ કામ થતું નથી આ ઉભરાતી ગટરના પાણીના કારણે રવાપર મેન રોડ પર ચોમાસાના વરસાદના પાણીની જેમ ગટરના પાણી વહેવા લાગ્યા છે જેના કારણે વેપાર ધંધો કરતા દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકા ભાજપની છે અને ભાજપના સદસ્યના ઘર પણે ગંદકી છે તો પણ ત્યાં કામ કરવામાં આવતું નથી તો પછી બીજા લોકોના કામ કેવી રીતે કરવામાં આવતા હશે તે સૌથી મોટો સવાલ છે અને મોરબી પાલિકાના ભૂગર્ભ કામનો કોન્ટ્રાકટર રાખનાર કોન્ટ્રાકટરને જો પૈસા આપવવમાં આવે તો કામ થાય છે આટલી હદે પાલિકામાં ભ્રષ્ટાચાર પગ કરી ગયો છે માટે લોકોને આ ગંદકીમાંથી ઊગારવા કોંગ્રેસનાં આગેવાને રજૂઆત કરેલ છે 






Latest News