મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકામાં અનઅધિકૃત બાંધકામને રોકવા કલેક્ટરને લેખિત રજૂઆત


SHARE







મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકામાં અનઅધિકૃત બાંધકામને રોકવા કલેક્ટરને લેખિત રજૂઆત

મોરબીના રવાપર રોડ આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તેને રોકવા માટે સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીની "વ્રજ વાટીકા" સોસાયટી રવાપર રોડ ખાતે મોરબીના સર્વે નંબર ૯૯૯ પૈકી ની જમીનમાં આવેલ છે. જે જમીનમા ફક્ત રહેણાંકના હેતુ માટે બિનખેતી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૪૧ પ્લોટ ફાળવવામાં આવેલ છે ત્યારે વ્રજ વાટીકા સોસાયટીના પ્લોટ નંબર ૧,,૩ ના માલિક તેમજ વહીવટદાર દેત્રોજા છગનભાઇ કાનજીભાઈ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવેલ છે. જેમા સોપીંગમોલ બનાવતા હોવાનું લોકોને જાણવા મળેલ છે જેથી કરીને સોસાયટીના દરેક સભ્યોની મિટિંગ મળી હતી ત્યારે છગનભાઇને ટેલિફોનિક વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સાત માળનું શોપિંગમોલ બનાવું છું જેથી આ સોસાયટીનું બીનખેતી ફક્ત રહેણાંક હેતુ માટે કરવામાં આવેલ છે તેવી તેઓને જાણ કરી હતી તો પણ છગનભાઈ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી રહ્યા છે અને તેને કોઈ રોકી શકશે નહીં તેવું તેઓએ કહ્યું હતું અને ધમકી ભર્યા શબ્દો સોસાયટીના લોકોને કહ્યા હતા જેથી આ અનઅધિકૃત બંધકામને રોકવા માટે કલેક્ટરને વ્રજ વાટીકા સોસાયટીના સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરેલ છે






Latest News