મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકામાં અનઅધિકૃત બાંધકામને રોકવા કલેક્ટરને લેખિત રજૂઆત


SHARE













મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકામાં અનઅધિકૃત બાંધકામને રોકવા કલેક્ટરને લેખિત રજૂઆત

મોરબીના રવાપર રોડ આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તેને રોકવા માટે સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીની "વ્રજ વાટીકા" સોસાયટી રવાપર રોડ ખાતે મોરબીના સર્વે નંબર ૯૯૯ પૈકી ની જમીનમાં આવેલ છે. જે જમીનમા ફક્ત રહેણાંકના હેતુ માટે બિનખેતી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૪૧ પ્લોટ ફાળવવામાં આવેલ છે ત્યારે વ્રજ વાટીકા સોસાયટીના પ્લોટ નંબર ૧,,૩ ના માલિક તેમજ વહીવટદાર દેત્રોજા છગનભાઇ કાનજીભાઈ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવેલ છે. જેમા સોપીંગમોલ બનાવતા હોવાનું લોકોને જાણવા મળેલ છે જેથી કરીને સોસાયટીના દરેક સભ્યોની મિટિંગ મળી હતી ત્યારે છગનભાઇને ટેલિફોનિક વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સાત માળનું શોપિંગમોલ બનાવું છું જેથી આ સોસાયટીનું બીનખેતી ફક્ત રહેણાંક હેતુ માટે કરવામાં આવેલ છે તેવી તેઓને જાણ કરી હતી તો પણ છગનભાઈ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી રહ્યા છે અને તેને કોઈ રોકી શકશે નહીં તેવું તેઓએ કહ્યું હતું અને ધમકી ભર્યા શબ્દો સોસાયટીના લોકોને કહ્યા હતા જેથી આ અનઅધિકૃત બંધકામને રોકવા માટે કલેક્ટરને વ્રજ વાટીકા સોસાયટીના સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરેલ છે




Latest News