મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી તા.૩૦ ના નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં આગામી તા.૩૦ ના નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબીના જાણીતા તબીબ ડોકટર હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દાતાઓનો આર્થિક સહયોગ મેળવીને મેડીકલ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને આગામી તારીખ ૩૦-૧ નાં શિવ શક્તિ,લાતી પ્લોટ શેરી નંબર ૨/૩ મોરબી ખાતે બિપીનભાઈ વ્યાસ અને કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત(પાલીકા કાઉન્સીલર)નાં સૌજન્યથી ડો.હસ્તીબેન મહેતાનાં અધ્યક્ષ સ્થાને ૭૨ માં એકદિવસીય નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા મોરબીવાસીઓને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે સાથે દાતાઓનાં સહયોગથી જરૂરતમંદ દર્દીઓને ડાયાબીટીસ તેમજ આંખના ટેસ્ટ  કરી આપવામાં આવશે.તેમજ ત્રણ દિવસની દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે.ઉલેખનિય છે કે મોરબીનાં સેવાભાવી તબીબ ડો.હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે મોરબીમાં દાતાઓનો સહયોગ મેળવીને જુદા જુદા સ્થળોએ આ પ્રકારે નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે.




Latest News