મોરબી પોલીસે નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી
મોરબીમાં આગામી તા.૩૦ ના નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે
SHARE
મોરબીમાં આગામી તા.૩૦ ના નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે
મોરબીના જાણીતા તબીબ ડોકટર હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દાતાઓનો આર્થિક સહયોગ મેળવીને મેડીકલ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને આગામી તારીખ ૩૦-૧ નાં શિવ શક્તિ,લાતી પ્લોટ શેરી નંબર ૨/૩ મોરબી ખાતે બિપીનભાઈ વ્યાસ અને કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત(પાલીકા કાઉન્સીલર)નાં સૌજન્યથી ડો.હસ્તીબેન મહેતાનાં અધ્યક્ષ સ્થાને ૭૨ માં એકદિવસીય નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા મોરબીવાસીઓને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે સાથે દાતાઓનાં સહયોગથી જરૂરતમંદ દર્દીઓને ડાયાબીટીસ તેમજ આંખના ટેસ્ટ કરી આપવામાં આવશે.તેમજ ત્રણ દિવસની દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે.ઉલેખનિય છે કે મોરબીનાં સેવાભાવી તબીબ ડો.હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે મોરબીમાં દાતાઓનો સહયોગ મેળવીને જુદા જુદા સ્થળોએ આ પ્રકારે નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે.