વાંકાનેરમાં સજોડે ઝેરી દવા પિનાર યુવતી બાદ યુવાનનું પણ મોત નીપજયું
ટંકારાના ઘુનડા ગામે મંદિર તેમજ દુકાનમાં ચોરી
SHARE
ટંકારાના ઘુનડા ગામે મંદિર તેમજ દુકાનમાં ચોરી
મોરબીના ટંકારા તાલુકાના ધુનડા (સજ્જનપર) ગામે આવેલ રવેચી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ મંદીરમાંથી ચાંદીના કિંમતી આભૂષણો સહિતનો મુદામાલ ઉઠાવી ગયા હતા.ગામની વચ્ચેના મંદિરમાં ચોરીથી ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
ટંકારા તાલુકાના ધુનડા (સજ્જનપર) ગામે આવેલ રવેચી માતાજીના મંદિરમાંથી તસ્કરો ચાંદીના ચાર મુગટ કિંમત આશરે દોઢેક લાખની કિંમતના મુદામાલની ચોરી કરી ગયા હોવાનુ જાણવા મળેલ છે.તે ઉપરાંત એક પાનના ગલ્લાનું શટર પણ ઉંચકીને તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો જોકે તે પહેલા ગામજનો જાગી જતા ચોર અંધારામાં ઓગળી ગયા હતા.ચોરીની આ ધટના અંગે ટંકારા પોલીસને જાણ કરાતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે સઘન નાઇટ પેટ્રોલીંગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે.