મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે મંદિર તેમજ દુકાનમાં ચોરી


SHARE











ટંકારાના ઘુનડા ગામે મંદિર તેમજ દુકાનમાં ચોરી

મોરબીના ટંકારા તાલુકાના ધુનડા (સજ્જનપર) ગામે આવેલ રવેચી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ મંદીરમાંથી ચાંદીના કિંમતી આભૂષણો સહિતનો મુદામાલ ઉઠાવી ગયા હતા.ગામની વચ્ચેના મંદિરમાં ચોરીથી ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

ટંકારા તાલુકાના ધુનડા (સજ્જનપર) ગામે આવેલ રવેચી માતાજીના મંદિરમાંથી તસ્કરો ચાંદીના ચાર મુગટ કિંમત આશરે દોઢેક લાખની કિંમતના મુદામાલની ચોરી કરી ગયા હોવાનુ જાણવા મળેલ છે.તે ઉપરાંત એક પાનના ગલ્લાનું શટર પણ ઉંચકીને તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો જોકે તે પહેલા ગામજનો જાગી જતા ચોર અંધારામાં ઓગળી ગયા હતા.ચોરીની આ ધટના અંગે ટંકારા પોલીસને જાણ કરાતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે સઘન નાઇટ પેટ્રોલીંગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે.






Latest News