વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી : નરેશભાઇ પટેલે સક્રિય રાજકારણમાં ઝંપલાવવું જોઈએ, પી.પી.જોષી


SHARE











મોરબી : નરેશભાઇ પટેલે સક્રિય રાજકારણમાં ઝંપલાવવું જોઈએ, પી.પી.જોષી

મોરબીના પી.પી.જોશી દ્વારા ખોડલધામમા પ્રણેતા નરેશભાઇ પટેલને પત્ર લખીને જણાવવામાં આવેલ છે કે આપે સક્રિય રાજકારણમાં પ્રવેશવુ જોઈએ અને લોકોના પ્રશ્નોને વાચા આપવી જોઈએ.

મોરબીના પી.પી.જોષીએ ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલને પત્ર લખીને જણાવ્યું છેકે આપે હવે સક્રિય રાજકારણમાં આવવું જોઇએ અને સમય સંજોગો જોતાં હાલના રાજકારણમાં આપના જેવા ઉમદા લોકોની તાતી જરૂર છે કોઈપણ પક્ષ જે આપને પસંદ હોય તેમાં જોડાઇને સર્વે સમાજના હિતમાં આપે રાજકારણમાં આવવું જોઈએ તેવું સમાજનો મોટો વર્ગ પણ ઈચ્છી રહ્યો છે.કારણ કે આપના જેવા ઈમાનદાર અને કૃતજ્ઞ વ્યક્તિઓ જો રાજકારણમાં પ્રવેશે તો ગુજરાત અને દેશનું ચોકકસ કંઈક સારું થઈ શકે તેમ છે માટે ગુજરાતની કરોડની વસ્તીની પણ આવી જ કોઈ અપેક્ષા હશે જેથી કરીને વહેલી તકે આપે સક્રિય રાજકારણમાં જોડાવું જોઈએ. કારણ કે તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલવાની વૃતી અને દરેક કામમાં નાત-જાત જોયા વગર કામ કરવાની શૈલીથી આપ લોકોમાં પરિચિત જ છો.દરેક ગુજરાતી પણ આ જ ઇચ્છતા હશે કે આગામી ૨૦૨૨ ની ચૂંટણી પહેલા નરેશભાઇએ સક્રીય રાજકારણમાં પ્રવેશવું જોઈએ.ગુજરાતના દરેક ગામમાંથી નરેશભાઇને ચોક્કસ પૂરતો સાથ અને સહકાર મળે તેમ છે માટે વિના વિલંબે આગામી ચૂંટણી પહેલાં સક્રિય બનીને આપને મનગમતા પક્ષ સાથે જોડાઈને લોકોને આપની અમૂલ્ય સેવાઓનો લાભ મળે અને ગુજરાતના લોકોનું કંઇક ભલુ થાય એ માટે આપે સક્રિય રાજકારણમાં જોડાવવું જોઇએ તેવી પી.પી.જોષીએ લેખિતમાં ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલને રજૂઆત કરેલ છે.






Latest News