મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીનો ગુમ થયેલ યુવાન મળી આવતા પરિવારને હાશકારો


SHARE











મોરબીનો ગુમ થયેલ યુવાન મળી આવતા પરિવારને હાશકારો

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના જોડીયા તાલુકાના અણંદા ગામના વતની અશ્વિનભાઈ વશરામભાઈ વિરમગામા જાતે પટેલ નામનો ૩૪ વર્ષીય યુવાન તા.૨૬ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયો હતો જે અંગે સીટી બી ડિવિજન પોલીસને જાણ કરાતા પોલીસની તપાસ દરમિયાન ગુમ થયેલ અશ્વિનભાઈ મોરબી નજીકના રફાળેશ્વર ગામેથી મળી આવ્યા હતા. અશ્વિનભાઈ ગુમ થયા હોવાની જાણ તેઓના ભાઈ જીતેશભાઈ વશરામભાઈ વિરમગામાએ કરેલી હોય બી ડિવિઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી હતી અને તપાસ ચલાવી રહેલા જશપાલસિંહની તપાસ દરમિયાનમાં ગુમ થયેલા અશ્વિનભાઈ વિરમગામા મોરબી નજીકના રફાળેશ્વર ગામે મંદિરમાં સેવા પૂજા કરવા માટે ચાલ્યા ગયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ નોકરીમાં આર્થીક ટેન્શન ચાલતુ હોવાના પગલે તેઓ ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર રફાળેશ્વર ચાલ્યા ગયા હતા.જોકે તેઓ પરત મળી આવકા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઇ પ્રવીણભાઈ સાંચલા નામના ૨૬ વર્ષીય યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતાં ભુપત પ્રાણજીવનભાઈ કંસારા (૨૩) અને કિરણબેન ભુપતભાઈ કંસારા (૨૩) ને વાવડી ગામે દશામાઁના મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલે લવાયા હતા. જ્યારે મોરબીની લીલાપર ચોકડી પાસે શિવ શોપિંગ નજીક પતિ દ્વારા મૂઢ માર મારવામાં આવતા અરૂણાબેન પ્રવીણભાઈ મઢવી નામના ૩૧ વર્ષીય મહિલાને સારવારમાં સિવિલે ખસેડાયા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે પતિ દ્વારા કોઇને પૈસા ઉધાર આપવામાં આવ્યા હોય તે મુદ્દે વાતચીત કરતાં ઉશ્કેરાઈ જઈને પતિએ અરૂણાબેનને માર માર્યો હતો.

વૃદ્ધા સારવારમાં

માળિયા મિંયાણાના હરીપર ગામે રહેતા સોનાબેન રવાભાઈ ડાંગર નામના ૭૩ વર્ષીય વૃદ્ધા ઘર પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારતાં ઈજાગ્રસ્ત સોનાબેન ડાંગરને અહીંની શુભ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ બેલા ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં લખધીરપુર રોડ ઉપર રહીને મજૂરીકામ કરતાં ચંદનકુમાર શાહુ નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના મકનસર ગામ નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં ગણપતભાઇ લાલજીભાઈ મકવાણાને પણ સારવાર માટે સદભાવના હોસ્પિટલે ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News