વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીનો ગુમ થયેલ યુવાન મળી આવતા પરિવારને હાશકારો


SHARE











મોરબીનો ગુમ થયેલ યુવાન મળી આવતા પરિવારને હાશકારો

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના જોડીયા તાલુકાના અણંદા ગામના વતની અશ્વિનભાઈ વશરામભાઈ વિરમગામા જાતે પટેલ નામનો ૩૪ વર્ષીય યુવાન તા.૨૬ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયો હતો જે અંગે સીટી બી ડિવિજન પોલીસને જાણ કરાતા પોલીસની તપાસ દરમિયાન ગુમ થયેલ અશ્વિનભાઈ મોરબી નજીકના રફાળેશ્વર ગામેથી મળી આવ્યા હતા. અશ્વિનભાઈ ગુમ થયા હોવાની જાણ તેઓના ભાઈ જીતેશભાઈ વશરામભાઈ વિરમગામાએ કરેલી હોય બી ડિવિઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી હતી અને તપાસ ચલાવી રહેલા જશપાલસિંહની તપાસ દરમિયાનમાં ગુમ થયેલા અશ્વિનભાઈ વિરમગામા મોરબી નજીકના રફાળેશ્વર ગામે મંદિરમાં સેવા પૂજા કરવા માટે ચાલ્યા ગયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ નોકરીમાં આર્થીક ટેન્શન ચાલતુ હોવાના પગલે તેઓ ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર રફાળેશ્વર ચાલ્યા ગયા હતા.જોકે તેઓ પરત મળી આવકા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઇ પ્રવીણભાઈ સાંચલા નામના ૨૬ વર્ષીય યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતાં ભુપત પ્રાણજીવનભાઈ કંસારા (૨૩) અને કિરણબેન ભુપતભાઈ કંસારા (૨૩) ને વાવડી ગામે દશામાઁના મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલે લવાયા હતા. જ્યારે મોરબીની લીલાપર ચોકડી પાસે શિવ શોપિંગ નજીક પતિ દ્વારા મૂઢ માર મારવામાં આવતા અરૂણાબેન પ્રવીણભાઈ મઢવી નામના ૩૧ વર્ષીય મહિલાને સારવારમાં સિવિલે ખસેડાયા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે પતિ દ્વારા કોઇને પૈસા ઉધાર આપવામાં આવ્યા હોય તે મુદ્દે વાતચીત કરતાં ઉશ્કેરાઈ જઈને પતિએ અરૂણાબેનને માર માર્યો હતો.

વૃદ્ધા સારવારમાં

માળિયા મિંયાણાના હરીપર ગામે રહેતા સોનાબેન રવાભાઈ ડાંગર નામના ૭૩ વર્ષીય વૃદ્ધા ઘર પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારતાં ઈજાગ્રસ્ત સોનાબેન ડાંગરને અહીંની શુભ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ બેલા ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં લખધીરપુર રોડ ઉપર રહીને મજૂરીકામ કરતાં ચંદનકુમાર શાહુ નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના મકનસર ગામ નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં ગણપતભાઇ લાલજીભાઈ મકવાણાને પણ સારવાર માટે સદભાવના હોસ્પિટલે ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News